ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જૂન ૨૦૨૧
મંગળવાર
સુશાંત સિંહ રાજપૂતનું જ્યારે નિધન થયું ત્યારે ત્યાં ચાર જણ હાજર હતા. એમાંથી નીરજ અને કેશવને NCB દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી તથા ૩૪ અન્ય લોકોની વિરુદ્ધમાં સરકારી ગવાહ બનવા માટે નીરજ અને કેશવ તૈયાર થઈ ગયા છે. રિયા ચક્રવર્તી કઈ રીતે આ કેસમાં સામેલ હતી એ નીરજ અને કેશવે પોતાના નિવેદનમાં NCBને જણાવ્યું હતું.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…
હવે નીરજ અને કેશવના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી શકે છે. તદુપરાંત સિદ્ધાર્થ પીઠાનીની કસ્ટડી પણ હવે ૪ જૂન સુધી લંબાવવામાં આવી છે.
