Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા’ ના ચાહકો માટે ખરાબ સમાચાર – શૈલેષ લોઢા બાદ ટપ્પુ સેના ના આ મહત્વ ના પાત્ર એ શો ને કહ્યું અલવિદા, પોસ્ટ શેર કરી આપી માહિતી

ટીઆરપી લિસ્ટમાં નંબર વન રહેતા ટીવીના ફેવરિટ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને ચાહકો ને આઘાત લાગશે.ટપુ સેના ના મહત્વના પાત્ર એ શો ને અલવિદા કહી દીધું છે અને આ વિશે ની માહિતી ખુદ તેને તેના ઇન્સ્ટાગ્રામ પર આપી છે.

TMKOC tappu and sonu aka palak sidhwani are not friends in real life

વાસ્તવિક જીવન માં મિત્રો નથી તારક મહેતા ની ટપ્પુ સેના ના આ કલાકારો, જાણો કારણ

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં, શૈલેષ લોઢાના પાત્ર ‘મહેતા સાહબ’ની વિદાયથી આ શો નો રંગ થોડો ફિક્કો પડી ગયો. દેખીતી વાત છે કે આ શો પહેલા જેવો નથી રહ્યો. આ દરમિયાન, ટીવીના ફેવરિટ શો ( taarak mehta ka ooltah chashmah)  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ( raj anadkat ) લગતા એક મોટા સમાચાર ( Tapu sena ) સામે આવ્યા છે, જેને સાંભળી ને ચાહકો ( quits ) દુઃખી થઇ જશે. .

Join Our WhatsApp Channel

રાજ અનડકટે શેર કરી પોસ્ટ

છેલ્લા કેટલાક વર્ષોમાં, શોના ઘણા પાત્રોએ તેને છોડી દીધો અને અચાનક ‘તારક મહેતા’એ પણ શોને અલવિદા કહી દીધું. દિશા વાકાણીના ગયા પછી આ શો ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને હવે તેનો લીડ ટપ્પુ એટલે કે રાજ અનડકટ પણ શોને અલવિદા કહી રહ્યો છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ અનડકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહેવાનો છે. દર વખતે તે આ અહેવાલોને અફવા ગણાવતો હતો, જો કે, આ વખતે ટપ્પુએ પોતે જ સોશિયલ મીડિયા પર શો છોડવાનો ખુલાસો કર્યો છે. રાજની આ વાતથી તેના ફેન્સ ખૂબ જ નિરાશ છે.રાજે લખ્યું, ‘બધાને નમસ્કાર, તમામ પ્રશ્નો અને અટકળોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથેનું મારું જોડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીના કેટલાક શ્રેષ્ઠ વર્ષો વિતાવવાની આ એક અદ્ભુત સફર રહી છે. આ પ્રવાસમાં મને સાથ આપનાર દરેકનો હું આભાર માનું છું – સમગ્ર TMKOC ટીમ, મારા મિત્રો, પરિવાર અને અલબત્ત તમે બધા. દરેક વ્યક્તિ જેણે શોમાં મારું સ્વાગત કર્યું અને મને પ્રેમ કર્યો.’

આ સમાચાર પણ વાંચો:  પરેશ રાવલ સામે FIR, બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી

 ભવ્ય ગાંધી પછી રાજે નિભાવી હતી ટપ્પુ ની ભૂમિકા

નોંધપાત્ર રીતે, ભવ્ય ગાંધીએ શો છોડ્યા પછી, રાજે જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી હતી. થોડા મહિના પહેલા એવી અટકળો હતી કે રાજ શો છોડી શકે છે કારણ કે તે સેટ પરથી ગાયબ હતો. ઓગસ્ટમાં જ્યારે રાજને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મીડિયા હાઉસ ને કહ્યું હતું કે, “મારા ચાહકો, મારા દર્શકો, મારા શુભચિંતકો, તેઓ બધા જાણે છે કે હું સસ્પેન્સ બનાવવામાં ખૂબ જ સારો છું. હું સસ્પેન્સ બનાવવામાં નિષ્ણાત છું.

Hrithik Roshan Rents Commercial Property રિતિક રોશને અંધેરીમાં કોમર્શિયલ સ્પેસ ભાડે આપી, દર મહિને કરશે લાખોની કમાણી
Kangana Ranaut Viral Video Fact Check GenZ વિરુદ્ધ આપેલા નિવેદન બાદ કંગના રનૌતની ‘જાહેરમાં પીટાઈ’? વાયરલ વીડિયોના દાવાની ફેક્ટ ચેકમાં ખુલી ગઈ પોલ
Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Exit mobile version