Site icon News Continuous Bureau | Mumbai

 બોલીવુડના આ જાણીતા અભિનેતાએ રાત્રે ભૂખ લાગતા ખોલાવ્યું હતું અમદાવાદનું આ પ્રખ્યાત રેસ્ટોરન્ટ

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોલીવુડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચનની નવી ફિલ્મ ધ બીગ બુલ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ હર્ષદ મહેતા ઉપર બનાવવામાં આવી છે અને અભિષેકે તેમાં હર્ષદ મહેતાનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે અને તેવામાં અભિષેકનો ગુજરાતી વસ્તુઓ પ્રત્યેનો પ્રેમ પણ ઉભરાવવા લાગ્યો છે.

આ સમયે અભિષેકનો એક કિસ્સો જાણવા જેવો છે. વર્ષ ૨૦૧૬ દરમિયાન અભિષેક તેની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સ સાથે અમદાવાદ આવ્યો હતો. મોડી રાત્રે મેચ બાદ તેને ભૂખ લાગી હતી. નવરાત્રીનો સમય હોવાથી તેની ફેવેરેટ ગોરધન થાળ રેસ્ટોરન્ટ બંધ હતી. 

અભિષેકે તેના મિત્ર અને ગોરધન થાળના માલિક સાથે વાત કરી મોડી રાત્રે રેસ્ટોરન્ટ ખોલાવ્યું હતું. ત્યાર બાદ અભિષેકે ત્યાં જમ્યા બાદ ફોટો પણ પડાવ્યો હતો અને લખ્યું હતું કે “અમદાવાદમાં તમારી ટ્રિપ ત્યાં સુધી પૂર્ણ થતી નથી જ્યાં સુધી તમે મારા ફેવરેટ રેસ્ટોરન્ટ ગોરધન થાળમાં જમવા ન જાઓ. મારા મિત્ર મહેન્દ્ર ભાઈનો આભાર જેમણે મારા માટે રેસ્ટોરન્ટ ખુલ્લું રાખ્યું.”

Allu Arjun| સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું મુંબઈમાં નવું સરનામું! આટલા કરોડનું છે જુહુનું ઘર, ભાડું જાણીને ચોંકી જશો
Dhurandhar 2 Box office| ‘ધુરંધર 2’ ની રેકોર્ડબ્રેક કમાણી, યુકેમાં શાહરૂખ ખાનની ‘પઠાન’ નો રેકોર્ડ થયો ધ્વસ્ત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં થશે ઓરિજિનલ વિલનની ધમાકેદાર વાપસી ટીઆરપી વધારવા એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક!
Jasmine Sandlas concert| કોન્સર્ટમાં અજીબ હરકતો અને લિપસિંકિંગનો આરોપ જેસ્મીન સન્ડલાસના પર્ફોર્મન્સથી ફેન્સ નિરાશ
Exit mobile version