Site icon

ફિલ્મ ધ કેરળ સ્ટોરી સાથે જોડાયેલા વ્યક્તિ ને મળ્યો ધમકીભર્યો મેસેજ, મુંબઈ પોલીસ આપશે સુરક્ષા

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ધ કેરળ સ્ટોરીના ક્રૂ મેમ્બરને અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકીભર્યો સંદેશો મળ્યા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ક્રૂ મેમ્બરને સુરક્ષા પુરી પાડી છે.

the kerala story crew member receives threat mumbai police provides security

ફિલ્મ ધ કેરળ સ્ટોરી સાથે જોડાયેલા વ્યક્તિ ને મળ્યો ધમકીભર્યો મેસેજ, મુંબઈ પોલીસ આપશે સુરક્ષા

News Continuous Bureau | Mumbai

દિગ્દર્શક સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરળ સ્ટોરી ચર્ચામાં આવી ત્યારથી વિવાદોમાં ઘેરાયેલી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિલ્મના ક્રૂ મેમ્બરને ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેને પોલીસને જણાવ્યું કે ક્રૂ મેમ્બર માંથી એક ને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મેસેજમાં ક્રૂ મેમ્બરને ઘરની બહાર એકલા ન જવાની ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તેણે વાર્તા કહીને સારું કામ કર્યું નથી. પોલીસે ક્રૂ મેમ્બરને સુરક્ષા પૂરી પાડી હતી પરંતુ હજુ સુધી લેખિત ફરિયાદ મળી ન હોવાથી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

Join Our WhatsApp Community

 

વિવાદો થી ઘેરાયલી છે ધ કેરળ સ્ટોરી 

5મી મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરી હજુ પણ વિવાદોમાં છે, જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. જો અહેવાલોનું માનીએ તો, ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહના અંતે લગભગ 35.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સારું પ્રદર્શન કર્યા બાદ પણ કેટલીક જગ્યાએ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. જો અહેવાલોનું માનીએ તો, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારે શાંતિ જાળવી રાખવા અને રાજ્યમાં નફરત અને હિંસાની ઘટનાઓને ટાળવા માટે 8 મેના રોજ તાત્કાલિક અસરથી ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં, ફિલ્મને કરમુક્ત બનાવવા છતાં રાજકીય ધમાલ ચાલુ છે. 

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version