Site icon News Continuous Bureau | Mumbai

ધ ફેમિલી મેનની આ અભિનેત્રીએ વિવાહિત પુરુષ સાથે લગ્ન કર્યા; લગ્ન ગેરકાયદે હોવાનો પહેલી પત્નીનો દાવો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ધ ફેમિલી મેનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયામણીના મુસ્તફા રાજ સાથેના લગ્ન ગેરકાયદે હોવાનો દાવો તેની પહેલી પત્ની આયેશાએ કર્યો છે. તેણીએ મીડિયાને કહ્યું છે કે હજી મુસ્તફા સાથે કાયદેસર છૂટાછેડા થયા નથી. જોકે, મુસ્તફા અને આયેશા 2013માં છૂટા થઈ ગયા હતા અને તેણે 2017માં પ્રિયમણી સાથે લગ્ન કર્યા હતા. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે.

મુસ્તાફે આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું છે કે આ વસૂલી કરવાનો પ્રયાસ છે. તેણે ઉમેર્યું હતું કે “મારી સામેના આરોપો ખોટા છે. હું નિયમિત રીતે આયેશાને બાળકોની દેખરેખ માટે વળતર ચૂકવી રહ્યો છું. તે ફક્ત મારી પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી રહી છે."

ભાગેડુ વિજય માલ્યાને લાગ્યો મોટો ઝટકો, બ્રિટિશ કોર્ટે જાહેર કર્યો ‘નાદાર’ ; ભારતીય બેંકો હવે આસાનીથી કરી શકશે આ કામ

ઉલ્લેખનીય છે કે મૂળ સાઉથની અભિનેત્રી પ્રિયામણીને ‘ધ ફેમિલી મેન’ સીરીઝથી ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અભિનેત્રીએ પણ આયેશાના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. આ મામલે આયેશાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “મુસ્તફા હજી મારી સાથે વિવાહિત છે. મુસ્તફા અને પ્રિયમણીના લગ્ન ગેરકાયદે છે. અમે છૂટાછેડા માટે અરજી પણ કરી નથી અને પ્રિયમણી સાથે લગ્ન કરતી વખતે તેણે કોર્ટમાં જાહેર કર્યું કે તે બેચલર છે."

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version