Site icon News Continuous Bureau | Mumbai

Shahenshah Movie Making Story| ફિલ્મ ‘શહેનશાહ’ના મેકિંગ દરમિયાન શું થયું હતું? ટીનુ આનંદે વર્ષો પછી ખોલ્યું મોટું રહસ્ય, અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી છે વાત ‘

Shahenshah Movie Making Story| ફાઈનાન્સરો દરવાજે આવીને ઉભા હતા: બિગ બીના અકસ્માત બાદ ફિલ્મ બંધ થવાના આરે હતી, ટીનુ આનંદે કિસ્સો શેર કરતા કહ્યું - 'મેં અમિત જી ને કહ્યું હતું કે મારી જાન લઈ લો'.

Shahenshah Movie Making Story| ફિલ્મ 'શહેનશાહ'ના મેકિંગ દરમિયાન શું થયું હતું? ટીનુ આનંદે વર્ષો પછી ખોલ્યું મોટું રહસ્ય, અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી છે વાત '

Shahenshah Movie Making Story| ફિલ્મ 'શહેનશાહ'ના મેકિંગ દરમિયાન શું થયું હતું? ટીનુ આનંદે વર્ષો પછી ખોલ્યું મોટું રહસ્ય, અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી છે વાત '

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shahenshah Movie Making Story| બોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક ટીનુ આનંદ અત્યારે તેમના એક જૂના ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે વર્ષ 1988ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શહેનશાહ’ ના નિર્માણ સમયની મુશ્કેલીઓનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ શરૂ થઈ ચૂકી હતી અને માર્કેટમાંથી મોટા પાયે પૈસા ઉધાર લીધા હતા, ત્યારે જ અમિતાભ બચ્ચનનો અકસ્માત થયો અને બધું જ અટકી ગયું હતું.

જ્યારે ફાઈનાન્સરોનું વ્યાજ શરૂ થઈ ગયું અને હીરો બીમાર પડ્યા

ટીનુ આનંદે જણાવ્યું કે, ‘શહેનશાહ’ ની મુખ્ય સમસ્યા એ હતી કે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી પણ અમિતાભ બચ્ચનનો અકસ્માત થયો હોવાથી શૂટિંગ થઈ શકતું નહોતું. તેમણે ફાઈનાન્સરો પાસેથી લીધેલા પૈસાનું વ્યાજ ચઢવાનું શરૂ થઈ ગયું હતું. તે સમયે એવા સમાચાર આવ્યા કે અમિતાભની તબિયત એટલી ખરાબ છે કે તેઓ કદાચ હવે ફિલ્મોમાં કામ નહીં કરી શકે. ફાઈનાન્સરો ટીનુ આનંદના દરવાજે આવીને ઉભા રહી ગયા હતા, જે તેમના જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો.

અમિતાભ બચ્ચન સાથેની એ મુલાકાત અને ઈમોશનલ ડાયલોગ

જ્યારે અમિતાભ બચ્ચન સાજા થઈને પરત ફર્યા, ત્યારે ટીનુ આનંદ તેમને મળવા ગયા. લંચ બ્રેક દરમિયાન અમિતાભે તેમને જમવા માટે કહ્યું, પણ ટીનુ આનંદથી જમાતું નહોતું. ત્યારે ટીનુએ અમિતાભને કહ્યું હતું કે, “સર, તમે મારી જાન લઈ લો, તો મારી ભૂખ મટી જશે અને તમારી મુશ્કેલી પણ આસાન થઈ જશે.” આ સાંભળીને અમિતાભે તેમને વચન આપ્યું કે તેઓ જ્યારે પણ કામ શરૂ કરશે, ત્યારે સૌથી પહેલા ‘શહેનશાહ’ ફિલ્મ પૂરી કરશે. આ સાંભળીને ટીનુ આનંદ ખુશીથી નાચવા લાગ્યા હતા.

બોલીવુડની આઈકોનિક ફિલ્મ બની ‘શહેનશાહ’

આ તમામ મુશ્કેલીઓ બાદ જ્યારે ફિલ્મ 1988 માં રિલીઝ થઈ, ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો એ ડાયલોગ “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ” આજે પણ ઘરે-ઘરે જાણીતો છે. મીનાક્ષી શેષાદ્રી, અમરીશ પુરી અને પ્રાણ જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મ બોલીવુડની સૌથી મોટી હિટ ફિલ્મોમાં ગણાય છે.

👉 આ સમાચાર વાચો:
Khatron Ke Khiladi 15। ખતરોં કે ખિલાડી 15 ખતરનાક સ્ટંટ કરવા માટે તૈયાર ગૌરવ ખન્ના? શોમાં જતા પહેલા કરી જોરદાર તૈયારી

Javed Akhtar Dhurandhar Movie Reaction| પ્રોપગેન્ડાના આરોપો વચ્ચે જાવેદ અખ્તરે ‘ધુરંધર’નો કર્યો બચાવ! ફિલ્મની વાર્તા અને કન્ટેન્ટ પર કહી દીધી આ મોટી વાત
Mandar Chandwadkar Instagram Post| રાકેશ બેદી અને દિલીપ જોશી સાથે પોઝ આપતા જોવા મળ્યા મંદાર ચાંદવડકર, લખ્યું ‘બંને લીજેન્ડ ધુરંધર સાથે….’
Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું
Huma Qureshi Rachit Singh Wedding| બોયફ્રેન્ડ રચિત સિંહ સંગ લગ્નગ્રંથિથી જોડાશે હુમા કુરેશી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે વેડિંગ?
Exit mobile version