Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આત્મારામ ભીડે એટલે કે મંદાર ચાંદવરકર થયા સોશિયલ મીડિયા પર ટ્રોલ, ટ્રોલર ને આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

Join Our WhatsApp Community

ગુરુવાર

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સ્ટાર્સ તેમના ચાહકો સાથે સીધા જોડાય છે. પરંતુ એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા યુઝર્સ છે જે સ્ટાર્સને ટ્રોલ કરવાની કોઈ તક છોડતા નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 'આત્મારામ ભીડે' ઉર્ફે મંદાર ચાંદવરકર સાથે પણ આવું જ કંઈક થયું હતું.જ્યારે એક યુઝરે તેને સોશિયલ મીડિયા પર જબરદસ્તી ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આત્મારામ ભીડે એ  ટ્રોલર ને એવી રીતે જવાબ આપ્યો કે ટ્રોલ કરનારની બોલતી બંધ થઈ ગઈ.

 

વાત એમ છે કે  મહાશિવરાત્રિ ના ખાસ અવસર પર તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના અભિનેતા મંદાર ચાંદવરકરે પણ આ ખાસ અવસર પર તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં અભિનેતા  શિવના મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરી રહ્યા છે અને તેમણે કપાળ પર ચંદન નું તિલક કર્યું છે.આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, 'ઓમ નમઃ શિવાય'. તેની આ પોસ્ટ જોયા બાદ જ્યાં ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા,  તો બીજી તરફ કેટલાક યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.તેમના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ભીડે ભાઈ… કેમેરા સામે નહીં, ભગવાનની સામે બોલો'. આત્મારામ ભીડેએ આનો ખૂબ જ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. આ ટ્રોલરને જવાબ આપતા તેણે લખ્યું, 'તમે બિલકુલ સાચા છો, પ્રિય,હું ભગવાનની સામે બોલ્યો, બાય ધ વે, અમારા કલાકારો માટે, દર્શકો ભગવાનથી ઓછા નથી'.સોશ્યિલ મીડિયા પર લોકો ટ્રોલને આપવામાં આવેલા જવાબથી પ્રભાવિત થયા હતા, પરંતુ આ સાથે ટ્રોલરે અભિનેતાની તેની ભૂલ માટે માફી પણ માંગી હતી. આત્મારામ ભીડેના જવાબના જવાબમાં ટ્રોલરે લખ્યું, 'સર, તમે દિલ જીતી લીધું છે. હું ટીવી પર તારક મહેતાને જોઈ રહ્યો હતો અને ઈન્સ્ટા પણ ચેક કરી રહ્યો હતો, તમારી પોસ્ટ જોઈ અને મજાકના મૂડમાં કોમેન્ટ કરી. તમારા જવાબે મારો દિવસ બનાવ્યો.

બોલિવૂડ બાદ હવે હોલીવુડમાં કામ કરવા માંગે છે આ અભિનેત્રી, એક્ટ્રેસે જણાવ્યું કારણ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી ચાલતો ટેલિવિઝન શો છે. વર્ષ 2008માં શરૂ થયેલો આ શો છેલ્લા 14 વર્ષથી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના અત્યાર સુધીમાં 3393 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. શોનું દરેક પાત્ર ઘર-ઘર લોકપ્રિય છે. જેઠાલાલથી માંડીને આત્મારામ ભીડે, પોપટલાલ, ડો. હાથી, કોમલ ભાભી, અંજલી ભાભી, માધવી, દયાબેન દરેક ઘરમાં લોકપ્રિય છે.

Toxic Release Date Postponed: ટળી ગઈ વર્ષની સૌથી મોટી ટક્કર! યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા ‘ધુરંધર ૨’ માટે મેદાન સાફ; જાણો ક્યારે રિલીઝ થશે રોકિંગ સ્ટારની ફિલ્મ.
O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Exit mobile version