Site icon News Continuous Bureau | Mumbai

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયનો આધાર બની હતી તારક મેહતા ની દયા, દિશા વાકાણી એ ભજવી હતી મહત્વ પૂર્ણ ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જેને દેશભરમાં વર્ષોથી પસંદ કરવામાં આવી રહ્યો છે. શોના તમામ પાત્રો લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન જાળવી રહ્યા છે. કેટલાક કલાકારો એવા છે જેઓ વર્ષોથી શોમાંથી ગાયબ છે પરંતુ હજુ પણ ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. તેમાંથી એક છે દિશા વાકાણી. લોકો તેને માત્ર દયાના પાત્ર માટે જ ઓળખે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે ફિલ્મો પણ કરી છે.જી હા, ટીવીની દયા એટલે કે દિશા વાકાણી 2008માં આવેલી ફિલ્મ 'જોધા અકબર'માં જોવા મળી હતી. ફિલ્મમાં, તેણીએ ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી, જ્યાં તેણી તેના સહયોગીની ભૂમિકામાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેણીનું પાત્ર માધવી જોશીનું હતું, જે એક ગુપ્ત રક્ષક પણ બની હતી અને લગ્ન પછી મુઘલ સામ્રાજ્યમાં રાણી જોધા બાઈને ટેકો આપતી હતી.ભલે તે સમયે લોકોએ તેના પર ધ્યાન ન આપ્યું હોય, પરંતુ તેણીની ગણતરી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં મુખ્ય ભૂમિકા તરીકે થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દયા એટલે કે દિશા વાકાણીએ માત્ર ઐશ્વર્યા સાથે માત્ર જોધા અકબર માં  જ નહીં પરંતુ દેવદાસમાં પણ સ્ક્રીન સ્પેસ શેર કરી છે. આમાં તેણે ઐશ્વર્યા ની સખીનો રોલ કર્યો હતો.

અમિતાભ બચ્ચનની આ ફિલ્મ થશે હવે સિનેમાઘરોમાં રિલીઝ; જાણો વિગત

આ સિવાય દિશા વાકાણી અનુપમ ખેરની 'નોટ સો પોપ્યુલર', પ્રિયંકા ચોપરાની 'લવ સ્ટોરી 2050' અને આમિર ખાનની 'મંગલ પાંડે'માં પણ જોવા મળી છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તારક મહેતાની દયા ઘણા સમયથી શોમાં જોવા મળી નથી. વર્ષ 2017 માં, તેણીએ પ્રસૂતિ બ્રેક લીધો, ત્યારબાદ તે હજી સુધી તે શો માં  પાછી આવી નથી.પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં પરત ફરશે જેથી માત્ર ચાહકોની દયા જ નહીં પરંતુ જેઠાલાલને તેની ગરબા ક્વીનનો સપોર્ટ પણ મળશે.

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version