Site icon News Continuous Bureau | Mumbai

શું દયાબેન પછી જેઠાલાલ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ને કહેવા જઈ રહ્યા છે અલવિદા?જાણો શું કહ્યું અભિનેતાએ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો જ પારિવારિક શો છે, જે લાંબા સમયથી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે અને તેને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળી રહ્યો છે. 13 વર્ષ જૂનો આ શો હજુ પણ TRP લિસ્ટમાં છે. માત્ર શો જ નહીં, પરંતુ લોકોએ તેમાં કામ કરી રહેલા કલાકારો પર પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.'જેઠાલાલ' હોય કે 'ટપ્પુ', ચાહકો આ પાત્રો સાથે ખૂબ જોડાયેલા છે. આ જ કારણ છે કે જ્યારે 'દયાબેન' એટલે કે દિશા વાકાણીએ શો છોડ્યો ત્યારે બધાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં આ શોમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. આ સિરિયલથી લોકપ્રિય થયેલા સ્ટાર્સે શો છોડવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ 'ટપ્પુ'નું પાત્ર ભજવતા રાજ અનડકટ વિશે સમાચાર આવ્યા હતા કે તે ટૂંક સમયમાં આ શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે અને હવે આવા જ સમાચાર દિલીપ જોષી એટલે કે જેઠાલાલ વિશે પણ આવી રહ્યા છે. તેણે પોતે આ વિશે વાત કરી છે.

એક મીડિયા હાઉસ ને  આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે દિલીપ જોશીને શો છોડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, 'મારો શો એક કોમેડી શો છે અને તેનો ભાગ બનવામાં મજા આવે છે. તેથી જ્યારે હું તેનો આનંદ લઈ રહ્યો છું, ત્યારે હું તે કરીશ, જે દિવસે મને લાગશે કે હું તેનો આનંદ લઈ રહ્યો નથી, ત્યારે હું આગળ વધીશ.દિલીપ જોશીએ એ પણ ખુલાસો કર્યો કે તેમને બીજા કેટલાક શો માટે નવી-નવી ઑફર્સ મળતી રહે છે, પરંતુ તેઓ આ શો માટે સમર્પિત છે. તેણે કહ્યું, 'મને અન્ય શોની ઑફર્સ મળે છે, પરંતુ મને લાગે છે કે જો આ શો સારો ચાલી રહ્યો છે તો પછી તેને અન્ય કોઈ વસ્તુ માટે કેમ છોડી દઉં. આ એક સુંદર સફર રહી છે અને હું તેનાથી ખુશ છું. તેણે કહ્યું કે, લોકો અમને ખૂબ પ્રેમ કરે છે અને હું તેને કોઈ કારણ વગર કેમ બરબાદ કરવા નથી માંગતો. આ રીતે દિલીપ જોષીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તારક મહેતા શોમાં જેઠાલાલના પાત્રમાં જોવા મળશે.

અનુપમા એ અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા માટે માલવિકા સામે રાખી આ શરત ; જાણો 'અનુપમા' ના આવનાર એપિસોડ વિશે

અભિનેતાએ માત્ર ટીવી પર જ પોતાના અભિનયની છાપ છોડી નથી, પરંતુ તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'મૈંને પ્યાર કિયા' અને 'હમરાજ' ​​જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. જો કે તે હજુ પણ ફિલ્મો કરવા માટે તૈયાર છે.તેણે કહ્યું, 'અભિનયની બાબતમાં મારે ઘણું કરવાનું છે. જીવન હજી ભરેલું છે. આજની ફિલ્મોનો વિષય ખૂબ જ સરસ છે, તેથી જો મને ક્યારેય ઑફર મળે તો હું ક્યારેય સારી ફિલ્મ છોડીશ નહીં. અત્યારે મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, હું તેનો આનંદ લઈ રહ્યો છું.અંગત જીવનની વાત કરીએ તો દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશીએ તાજેતરમાં જ ફિલ્મ લેખક અશોક મિશ્રાના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે લગ્ન કર્યા છે. આ પ્રસંગે દિલીપ ભાવુક બની ગયા હતા. તેણે સોશિયલ મીડિયા પર તેની પુત્રીના ફોટા શેર કરતી વખતે એક ભાવનાત્મક નોંધ પણ લખી હતી. આ પોસ્ટ સાથે તેણે પોતાના જમાઈ યશોવર્ધનનું પણ પરિવારમાં સ્વાગત કર્યું.

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version