Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જેનિફર મિસ્ત્રીએ શો વિશે ફરી કર્યા ચોંકાવનારા ખુલાસા, કહી આ વાત

તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રીએ હાલમાં જ અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેણે વધુ એક મોટો ખુલાસો કર્યો છે.

jennifer mistry wants apology with both hands folded from asit modi

આ રીતે અસિત મોદીની માફી સાંભળવા માંગે છે જેનિફર, અભિનેત્રી એ કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. તે જ સમયે, શોના કલાકારો પણ દર્શકો સાથે એક ખાસ બોન્ડ શેર કરે છે. લોકો શોના કલાકારોને તેમના વાસ્તવિક નામથી ઓછા અને તેમના રીલ લાઈફના નામથી વધુ ઓળખે છે, પરંતુ લાંબા સમયથી એક પછી એક કલાકાર શોને અલવિદા કહેતા જોવા મળે છે. તાજેતરમાં જ મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ શો છોડી દીધો હતો. શોને અલવિદા કર્યા બાદ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના આ નિવેદન પર અસિત મોદી અને તેમની ટીમે પણ પ્રતિક્રિયા આપી હતી. જેનિફર મિસ્ત્રીએ ફરી એકવાર શો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેત્રીના કહેવા પ્રમાણે, નિર્માતા કલાકારો સાથે ખરાબ વાત કરે છે અને તેમની ફી પણ સમયસર ચૂકવતા નથી.

Join Our WhatsApp Channel

 

જેનિફર મિસ્ત્રીએ કહી આ વાત 

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ માત્ર અસિત મોદી જ નહીં પરંતુ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર પણ નિશાન સાધ્યું છે. જેનિફરે કહ્યું કે મહિના ના પાંચ દિવસ પછી પણ પેમેન્ટ ન આવ્યું ત્યારે મેં સોહેલને ફોન કરીને તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તમે અત્યારે ફોન કર્યો છે તો 2-3 કલાકમાં પેમેન્ટ આવી જશે. બીજી તરફ જ્યારે મેં પેમેન્ટ રોકવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે પ્રોડ્યુસર્સ સાથે આવી રીતે વાત ના કરી શકે.. નિર્માતા હંમેશા મોટો હોય છે અને અભિનેતા નાનો હોય છે. આ સિવાય કલાકારોને સેટ પર માનસિક રીતે ખૂબ ટોર્ચર કરવામાં આવે છે. એકવાર મારે પાસપોર્ટ સંબંધિત કામ માટે પાસપોર્ટ ઓફિસ જવાનું થયું. આ માટે મેં 3 કલાકની રજા લીધી હતી. પરંતુ આ માટે મારી સાથે યોગ્ય રીતે વાત કરવામાં આવી ન હતી, આ ઉપરાંત મારો અડધા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવ્યો હતો. શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિશે પણ અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય યોગ્ય રીતે બોલતો નહોતો.

 

અસિત મોદીએ આપી હતી પ્રતિક્રિયા 

તમને જણાવી દઈએ કે જેનિફર પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ આસિત મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, કારણ કે અમે તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે’. તે શા માટે અમારા પર આવા પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version