Site icon

TMKOC Dilip joshi: તારક મહેતા માંથી જેઠાલાલ ના આ લોકપ્રિય ડાયલોગ પર લાગ્યો પ્રતિબંધ, દિલીપ જોશી એ જણાવ્યું તે પાછળ નું કારણ

tmkoc popular dialogue of jethalal got banned in show dilip joshi tell the reason

tmkoc popular dialogue of jethalal got banned in show dilip joshi tell the reason

News Continuous Bureau | Mumbai

TMKOC Dilip joshi: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં લોકો ને જેઠાલાલ અને દયાભાભી ની નોકઝોક ખુબ પસંદ આવતી હતી. જેઠાલાલ ના એવા ઘણા ડાયલોગ છે જે આઇકોનિક છે. પરંતુ શું તમને ખબર છે જેઠાલાલ નો એક ડાયલોગ ‘એ પાગલ ઔરત’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જી હા દિલીપ જોશી એ તાજેતર માં આ પ્રતિબંધ મુકવા પાછળ નું કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બાઘા ના પાત્ર એ બદલી તન્મય વખારિયા ની જિંદગી, અભિનેતા એ શેર કર્યો દિલીપ જોશી સાથે કામ કરવાનો અનુભવ

દિલીપ જોશી એ સંભળાવ્યો કિસ્સો 

દિલીપ જોશી એ તાજેતર માં એક પોડકાસ્ટ માં હાજરી આપી હતી આ દરમિયાન તેને જણાવ્યું કે, ‘એ પાગલ ઔરત’ સંવાદ મેં જાતે જ બનાવ્યો હતો.. સેટ પર એક એવી પરિસ્થિતિ હતી જ્યારે દયાએ આવી પ્રતિક્રિયા આપી હતી, તેથી દ્રશ્ય કરતી વખતે મારા મોંમાંથી આ વાત નીકળી ગઈ.આ સંવાદ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કારણ કે તેમને લાગ્યું કે આ એક મહિલા નું અપમાન કરવાનું વાક્ય છે. તે સ્ત્રી મુક્તિ ચળવળ હતી કે કંઈક બીજું અને મને કહ્યું હતું કે આ સંવાદ ફરી ક્યારેય ન બોલો.’


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ અને દયાબેન વચ્ચેની મસ્તી દરમિયાન લોકોને ઘણીવાર આ વાક્ય સાંભળવા મળતું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Exit mobile version