Site icon

મુનમુન દત્તાને ડેટ કરવાની અફવાઓ વચ્ચે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ‘ટપ્પુ’ વિશે આવ્યું નવું અપડેટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

હાલમાં જ રાજ અનડકટ ઉર્ફે ટપ્પુ વિશે સમાચાર આવ્યા હતા કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવા જઈ રહ્યો છે.જો કે હવે તેના વિશે સમાચાર આવ્યા છે કે તે શો છોડી રહ્યો નથી.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રાજ અનડકટ મહત્વની ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા પર તેના સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે પ્રોડક્શન હાઉસ સાથે અસંતુષ્ટ હોવાને કારણે તે શો છોડી શકે છે. એવા અહેવાલો પણ આવ્યા હતા કે રાજ અનડકટે શો છોડી દીધો છે અને તે ડિસેમ્બર પછી શોનું શૂટિંગ નહીં કરે. જો કે હવે સમાચાર આવ્યા છે કે રાજ અનડકટ શો છોડી રહ્યો નથી.

શોના નિર્માતાની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે રાજ કેટલીક બાબતોથી અસંતુષ્ટ છે જેનું સમાધાન થઈ ગયું છે અને હવે તે શો કરવાનું ચાલુ રાખશે.સૂત્રોએ એક મીડિયા હાઉસ ને જણાવ્યું, 'થોડા મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી મુનમુન દત્તા શો છોડી દેશે.આની પાછળનું કારણ એ હતું  કે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો .આમાં તેણીએ જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.જો કે તેણીએ શોનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.આ પછી મુનમુન દત્તા અને રાજ અનાડકટના અફેરના અહેવાલો પણ આવ્યા હતા.જેના કારણે રાજ અનડકટ ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે શો છોડવાનું વિચાર્યું હતું પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે.ઘણા કલાકારોના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે.ટપ્પુના પાત્રમાં રાજ અનડકટના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો છે.જે કોઈ પણ વિવાદ થશે તો તેને ઉકેલવામાં આવશે.

'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોષીની પુત્રીએ લગ્નમાં ફ્લોન્ટ કર્યા તેના સફેદ વાળ, ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

તમને જાણવી દઈએ કે રાજ 2017 માં ભવ્ય ગાંધીને બદલે શોમાં જોડાયો, જે ટપ્પુનું પાત્ર ભજવે છે. ટપ્પુ શોમાં જેઠાલાલનો પુત્ર છે, આ શો માં  જેઠાલાલ અને મુનમુન દત્તા ઉર્ફે બબીતા ​​જી ની જોડી દર્શકો માં  ખૂબ જ પ્રિય છે.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version