Site icon News Continuous Bureau | Mumbai

યુનિસેફે આયુષ્માન ખુરાનાને બાળકોના અધિકારોના અભિયાન માટે સેલિબ્રિટી એડવોકેટ બનાવ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

યુનિસેફ ઇન્ડિયાએ બાળકોના અધિકારો અને અધિકારોને પ્રોત્સાહન આપવા માટે યુથ આઇકન આયુષ્માન ખુરાનાને સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કર્યો છે. આયુષ્માન યુનિસેફના #ForEveryChild કેમ્પેનને પ્રમોટ કરવાનું છે. આ અંતર્ગત તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે. અભિનેતાએ રાષ્ટ્રીય સ્તરે આ ઝુંબેશ માટે કામ કરવાનું છે જયારે આ જ મુદ્દે વૈશ્વિક સ્તરે એક પ્રખ્યાત વ્યક્તિત્વ ડેવિડ બેકહેમ કામ કરી રહ્યો છે.' યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ યાસ્મીન અલી હકએ કહ્યું હતું કે, 'આયુષ્માન દરેક ભૂમિકાની સીમાઓને પડકારે છે. તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ દરેકને સંવેદનશીલ બનાવીને જાગૃતિ લાવી શકશે. કોરોના કાળમાં બાળકો પર થતાં જુલમમાં વધારો જોવા મળ્યો છે. આયુષ્માન આ દિશામાં કાર્ય કરીને મહત્ત્વનું યોગદાન આપી શકશે.'

અભિનેતાએ જણાવ્યું હતું કે, 'મને સેલિબ્રિટી એડવોકેટ તરીકે યુનિસેફ સાથે કામ કરવાની તક મળી અને તે મારા માટે ખૂબ આનંદની વાત છે. હું માનું છું કે દરેકને જીવનમાં ઉત્તમ શરૂઆત મળવી જોઇએ. મારા બાળકો ધરમાં સુરક્ષિત અને આનંદિત રહે છે તે જોઇને મને એવા' બાળકોનો વિચાર આવે છે જેમને કયારેય ખુશહાલ કે સુરક્ષિત બાળપણ મળ્યું નથી અને તેઓ ઘરે અથવા ઘરની બહાર દુર્વ્યવહારનો ભોગ બને છે. તેઓ મોટા થાય છે. હવે યુનિસેફ સાથે મલીને હું આવા બાળકોના જીવનમાં પરિવર્તન લાવીશ જેથી તેમને યોગ્ય માહોલ, શિક્ષણ અને સુરક્ષિતતા મળે અને હિંસાથી દૂર રહે.'

Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Abhishek Bachchan Joins Aishwarya Rai New York અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચન ન્યૂયોર્કમાં આઈશ્વર્યા રાય સાથે જોડાયો ‘કિંગ’ના શૂટિંગ વચ્ચેની તસવીરો થઈ વાયરલ
Exit mobile version