Site icon News Continuous Bureau | Mumbai

યુનિસેફે આયુષ્માન ખુરાનાને બાળકોના અધિકારોના અભિયાન માટે સેલિબ્રિટી એડવોકેટ બનાવ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

યુનિસેફ ઇન્ડિયાએ બાળકોના અધિકારો અને અધિકારોને પ્રોત્સાહન આપવા માટે યુથ આઇકન આયુષ્માન ખુરાનાને સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કર્યો છે. આયુષ્માન યુનિસેફના #ForEveryChild કેમ્પેનને પ્રમોટ કરવાનું છે. આ અંતર્ગત તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે. અભિનેતાએ રાષ્ટ્રીય સ્તરે આ ઝુંબેશ માટે કામ કરવાનું છે જયારે આ જ મુદ્દે વૈશ્વિક સ્તરે એક પ્રખ્યાત વ્યક્તિત્વ ડેવિડ બેકહેમ કામ કરી રહ્યો છે.' યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ યાસ્મીન અલી હકએ કહ્યું હતું કે, 'આયુષ્માન દરેક ભૂમિકાની સીમાઓને પડકારે છે. તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ દરેકને સંવેદનશીલ બનાવીને જાગૃતિ લાવી શકશે. કોરોના કાળમાં બાળકો પર થતાં જુલમમાં વધારો જોવા મળ્યો છે. આયુષ્માન આ દિશામાં કાર્ય કરીને મહત્ત્વનું યોગદાન આપી શકશે.'

અભિનેતાએ જણાવ્યું હતું કે, 'મને સેલિબ્રિટી એડવોકેટ તરીકે યુનિસેફ સાથે કામ કરવાની તક મળી અને તે મારા માટે ખૂબ આનંદની વાત છે. હું માનું છું કે દરેકને જીવનમાં ઉત્તમ શરૂઆત મળવી જોઇએ. મારા બાળકો ધરમાં સુરક્ષિત અને આનંદિત રહે છે તે જોઇને મને એવા' બાળકોનો વિચાર આવે છે જેમને કયારેય ખુશહાલ કે સુરક્ષિત બાળપણ મળ્યું નથી અને તેઓ ઘરે અથવા ઘરની બહાર દુર્વ્યવહારનો ભોગ બને છે. તેઓ મોટા થાય છે. હવે યુનિસેફ સાથે મલીને હું આવા બાળકોના જીવનમાં પરિવર્તન લાવીશ જેથી તેમને યોગ્ય માહોલ, શિક્ષણ અને સુરક્ષિતતા મળે અને હિંસાથી દૂર રહે.'

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version