Site icon News Continuous Bureau | Mumbai

Vicky kaushal: વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વિષય પર ડિનર ટેબલ પર કરે છે વાત, અભિનેતા ની માતા એ વ્યક્ત કર્યો વિરોધ

Vicky kaushal: કેટરીના કૈફ અને વિકી કૌશલે વર્ષ 2021માં રાજસ્થાનના સવાઈ માધોપુર પેલેસ માં લગ્ન કર્યા હતા. આ કપલ અનેક પ્રસંગોએ તેમના લગ્ન જીવનની વાતો શેર કરતા રહે છે.તાજેતરમાં, વિકીએ કૌન બનેગા કરોડપતિ 15 ના એપિસોડ દરમિયાન એક રસપ્રદ ખુલાસો કર્યો હતો.

Vicky kaushal reveals dinner table conversation with wife katrina kaif

Vicky kaushal reveals dinner table conversation with wife katrina kaif

News Continuous Bureau | Mumbai

Vicky kaushal: વિકી કૌશલ અને કેટરિના કૈફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ કપલે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં સાત ફેરા લીધા જેમાં માત્ર પરિવાર અને મિત્રો હાજર હતા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ તેની પત્ની કેટરિના કૈફ સાથે ડિનર ટેબલની વાતચીતનો ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Channel

 

વિકી કૌશલે જણાવ્યું ડાઇનિંગ ટેબલ પર કેવા પ્રકાર ની થાય છે વાતચીત 

મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં, વિકી ને કૌશલ પરિવારમાં ડિનર ટેબલ પરની વાતચીત શેર કરવાનું કહેવામાં આવ્યું. ખાસ કરીને તેના લગ્ન પછી થયેલી વાતચીતનો ખુલાસો કરતા અભિનેતાએ કહ્યું, “જ્યારે સની અને મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ન હતો, ત્યારે ઘરમાં ફિલ્મો વિશે કોઈ ચર્ચા થતી ન હતી. તે સમયે અમે મોટાભાગે બિન-ફિલ્મી વસ્તુઓ વિશે વાત કરતા હતા. પરંતુ હવે મારા પિતા, હું, સની અને કેટરિના છે, તેથી ઘણી વખત અભાનપણે આપણે રાત્રિભોજન દરમિયાન ફિલ્મો વિશે વાત કરીએ છીએ, જ્યાં સુધી માતા સ્પષ્ટ ન કરે કે રાત્રિભોજન દરમિયાન ફિલ્મો વિશે વાત કરવાની જરૂર નથી. ત્યારે અમે બધા ફિલ્મો વિશે વાત કરવાનું બંધ કરીએ છીએ અને અન્ય બાબતો ની ચર્ચા કરીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : Bigg boss 16 archana gautam: ‘બિગ બોસ 16’ ની રનર અપ રહી ચુકેલી અર્ચના ગૌતમ અને તેના પિતા સાથે કોંગ્રેસ કાર્યાલય ની બહાર થયો દુર્વ્યવહાર, ઘટના નો વિડીયો થયો વાયરલ

વિકીએ કૌન બનેગા કરોડપતિ 15ના એપિસોડ દરમિયાન પણ એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. જ્યારે એક સ્પર્ધકે તેના લગ્નમાં મેનુ નક્કી કરવા બાબતે અભિનેતાને પૂછ્યું, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો, “મેં નાસ્તાના મેનૂનું ધ્યાન રાખ્યું કારણ કે મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે છોલે ભટુરે અને આલૂ પરાઠાનો સમાવેશ કરવામાં આવે, પરંતુ કેટરીનાએ રાત્રિભોજન ના મેનૂનું ધ્યાન રાખ્યું કારણ કે, કેટલાક કારણોસર, પંજાબીઓ રાત્રે આઠ વાગ્યા પછી શું ખાય છે તેની પરવા કરતા નથી.તેમજ કેટરિના વિશે વાત કરતાં વિકીએ કહ્યું કે અભિનેત્રીને તેની સાસુ દ્વારા તૈયાર કરાયેલ પરાઠા ખાવાનું પસંદ છે.

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version