Site icon News Continuous Bureau | Mumbai

આર્થિક કટોકટી દરમિયાન વિક્રમ ગોખલે ની અમિતાભ બચ્ચને આ રીતે કરી હતી મદદ, છેલ્લી ઘડી સુધી અભિનેતા એ માન્યો બિગ બી નો આભાર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે નિધન થયું છે.’હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘અગ્નિપથ’જેવી ફિલ્મોએ તેમને ઓળખ આપી. આજે અમે તમને અભિનેતાના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવીશું.

Vikram Gokhle death-Amitabh Bachchan helped Vikram Gokhle during his financial crisis

 News Continuous Bureau | Mumbai

દિગ્ગજ ફિલ્મ અને ટેલિવિઝન સ્ટાર વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે નિધન ( Vikram Gokhle death )  થયું છે. મલ્ટી-ઓર્ગન ફેલ્યોર પછી, પીઢ અભિનેતાએ આ દુનિયાને અલવિદા કહ્યું. અભિનેતાએ ( Vikram Gokhle ) પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ 5 નવેમ્બરથી સારવાર હેઠળ હતા. આજે અમે તમને તેમના જીવનની ( financial crisis ) કેટલીક ન સાંભળેલી વાતો ( Amitabh Bachchan ) જણાવીશું.

Join Our WhatsApp Channel

ફિલ્મ, ટીવી અને સ્ટેજની દુનિયામાં એક અલગ ઓળખ ધરાવતા વિક્રમ ગોખલેએ ( Vikram Gokhle ) પણ જીવનમાં ખરાબ સમય જોયો હતો. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચને ( Amitabh Bachchan ) સંઘર્ષના દિવસોમાં તેની ઘણી મદદ કરી હતી. ગોખલેએ કહ્યું, જ્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે હું આર્થિક સંકટમાંથી ( financial crisis )  પસાર થયો હતો અને મુંબઈમાં ઘર ની શોધમાં હતો. ત્યારબાદ અમિતાભ બચ્ચનને આ વાતની જાણ થઈ એટલે તેમણે એક મોટા નેતાને પત્ર લખીને સરકાર વતી મને ઘર અપાવ્યું. મારી પાસે હજી પણ તે પત્ર છે, જે મેં ફ્રેમ કરાવી ને રાખ્યો છે.વિક્રમ ગોખલેને અમિતાભ બચ્ચન સાથેની તેમની ઓળખ પર ગર્વ હતો. તેમણે કહ્યું હતું કે મને ગર્વ છે કે હું તેને ઓળખું છું અને તે મને ઓળખે છે. અમે છેલ્લા 55 વર્ષથી મિત્રો છીએ. મને તેનું વર્તન ખૂબ ગમે છે. હું હજુ પણ અઠવાડિયામાં એકવાર તેની ફિલ્મો જોઉં છું. હું આ વસ્તુઓ આજથી નથી કરી રહ્યો, પરંતુ ઘણા દિવસોથી કરી રહ્યો છું. અમિતાભ બચ્ચન ખૂબ જ સરળ સ્વભાવના છે.

આ સમાચાર પણ વાંચો:  ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં

વિક્રમ ગોખલેએ ( Vikram Gokhle ) ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં તેમના પાત્રે તેમને ખૂબ લોકપ્રિય બનાવ્યા હતા. આ ફિલ્મમાં તે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે ગુસ્સાવાળા અને કડક પિતાની ભૂમિકા ભજવી હતી, જે લોકો આજે પણ યાદ કરે છે. આ સિવાય વિક્રમ ‘સનમ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદા ગવાહ’ જેવી ફિલ્મોમાં તેની ઓન-સ્ક્રીન ભૂમિકાઓ માટે જાણીતા હતા. ભારતીય સિનેમામાં પોતાની જાતને સ્થાપિત કરનાર પ્રખર સ્ટારને 2010માં મરાઠી ફિલ્મ ‘ઈશ્તી’માં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. ટેલિવિઝનમાં, તેમણે ‘ઘર આજા પરદેશી’, ‘અલ્પવિરામ’, ‘જાના ના દિલ સે દૂર’, ‘સંજીવની’, ‘ઇન્દ્રધનુષ’ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version