Site icon News Continuous Bureau | Mumbai

Vivek agnihotri: આમંત્રણ મળવા છતાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી નહીં આપી વિવેક રંજન અગ્નિહોત્રી, ધ કાશ્મીર ફાઇલ્સ ડિરેક્ટરે જણાવ્યું આ પાછળ નું કરણ

Vivek agnihotri: ધ કાશ્મીર ફાઇલ્સ ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી ને રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવાના નથી.જેની જાણકારી વિવેક અગ્નિહોત્રી એ પોતા આપી છે.

vivek agnihotri not being able to attend ramlala pran pratishtha event

vivek agnihotri not being able to attend ramlala pran pratishtha event

News Continuous Bureau | Mumbai

Vivek agnihotri: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ થવાનો છે. આ શુભ અવસર પર ઘણી બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોલિવૂડ હસ્તી માં ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી નું નામ પણ સામેલ છે તેમને પણ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નું આમન્ત્રણ મળ્યું છે. પરંતુ વિવેક રંજન અગ્નિહોત્રી આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

Join Our WhatsApp Channel

 

 વિવેક અગ્નિહોત્રી એ અયોધ્યા ના જવાનું કારણ જણાવ્યું 

વિવેક અગ્નિહોત્રી એ તેમના એક્સ (ટ્વીટર) પર આમંત્રણની તસવીરો શેર કરતા લખ્યું, “મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીની ઓફિસમાંથી ફોલોઅપ માટે ઘણી વખત ફોન આવ્યા. મહિલાએ મને ખૂબ જ વ્યાવસાયિક રીતે મુસાફરીની વિગતો પૂછી. દરેકની સલામતી અને આરામને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હું અભિષેકમાં હાજર રહી શકતો નથી કારણ કે હું 22મી જાન્યુઆરીએ કેટલાક અનિવાર્ય કારણોસર ભારતમાં નથી. માત્ર રામજી જ જાણે છે કે હું કેટલો દુઃખી છું.”


તમને જણાવી દઈએ કે, રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:15 થી 12:45 વચ્ચે યોજાનાર છે.મીડિયા રિપોર્ટ મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા 7,000 થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બીગ બોસ 17 નો વિકેન્ડ કા વાર બનશે મજેદાર, સલમાન ખાન પૂછશે વિકી જૈન ની ભાભી ને સવાલ

 

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version