Site icon News Continuous Bureau | Mumbai

Waheeda rehman: વહીદા રહેમાન ને મળશે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આ વાત

Waheeda rehman: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એક ટ્વિટમાં તેમની સિદ્ધિઓ વિશે લખ્યું છે.

waheeda rehman received dadasaheb phalke life time achievement award

waheeda rehman received dadasaheb phalke life time achievement award

News Continuous Bureau | Mumbai

Waheeda rehman: ”પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ગાઈડ’,  જેવી ઘણી આઇકોનિક ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને ‘દાદા સાહેબ ફાળકે’ સન્માન આપવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે વહીદા રહેમાન જીને મનોરંજન જગતમાં તેમના અનન્ય યોગદાન માટે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

વહીદા રહેમાન માટે અનુરાગ ઠાકુરે કર્યું ટ્વીટ 

અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અને સન્માન થાય છે કે વહીદા રહેમાન જીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વહીદા જીને ઘણી પ્રશંસા મળી છે. પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં તેણીની ભૂમિકાઓ માટે.”તેમને વધુ માં લખ્યું છે કે, “5 દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, તેણીએ તેના પાત્રો ખૂબ જ સુંદર રીતે ભજવ્યા હતા. જેના કારણે તેણીને ‘રેશ્મા’ અને ‘શેરા’ ફિલ્મોમાં કુલવધુની ભૂમિકા ભજવવા માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ‘.. પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોના પ્રાપ્તકર્તા, વહીદા જી એક ભારતીય મહિલાના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું ઉદાહરણ આપે છે જેણે તેની સખત મહેનત દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતાના ઉચ્ચ સ્તરો હાંસલ કર્યા છે.”

અનુરાગ ઠાકુરે વહીદા રહેમાન ને પાઠવ્યા અભિનંદન 

અનુરાગ ઠાકુરે તેમના ટ્વીટ માં લખ્યું, “એવા સમયે જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક ‘નારી શક્તિ વંદન એક્ટ’ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે તેણીને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તે ભારતીય સિનેમાની અગ્રણી મહિલાઓમાંની એકને સાચી શ્રદ્ધાંજલિ છે.” અનુરાગ ઠાકુરે લખ્યું કે વહીદા રહેમાને ફિલ્મો પછી પરોપકાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, હું તેમને શુભેચ્છા પાઠવું છું અને હું તેમને અભિનંદન આપું છું.’

આ  સમાચાર પણ વાંચો : Tarak mehta ka ooltah chashmah jennifer mistry: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ ની વધી મુશ્કેલી, જેનિફર મિસ્ત્રી એ વિડીયો શેર કરી કહી આ વાત

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version