Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના

Aishwarya Rai| ફિલ્મ 'ખાકી' ના સેટ પર સર્જાયો હતો અકસ્માત; અમિતાભે સ્પેશિયલ પરમિશન લઈને એરક્રાફ્ટની સીટો પણ કઢાવી હતી

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Aishwarya Rai| બોલીવુડના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના ગાઢ સંબંધો જગજાહેર છે. આ સંબંધોની ઊંડાઈનો એક કિસ્સો વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખાકી’ ના શૂટિંગ દરમિયાન જોવા મળ્યો હતો. નાસિક નજીક ફિલ્મના શૂટિંગ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં ઐશ્વર્યા રાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તે સમયે અમિતાભ બચ્ચને પોતાની પુત્રવધૂ (અત્યાર ના સંબંધો મુજબ) ની સુરક્ષા અને સારવાર માટે કોઈ કસર છોડી નહોતી અને અનિલ અંબાણીનું પ્રાઈવેટ જેટ મંગાવી લીધું હતું.

અકસ્માત અને અમિતાભની ત્વરિત કાર્યવાહી

ફિલ્મ ‘ખાકી’ ના સેટ પર નાસિક પાસે એક સ્ટંટ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો. એક સ્ટંટમેન પોતાની ગાડી પરથી કાબૂ ગુમાવતા તે સીધી ઐશ્વર્યા રાયની ખુરશી સાથે અથડાઈ હતી. જોકે, અભિનેતા અક્ષય કુમારે સમયસૂચકતા વાપરીને ઐશ્વર્યાને બચાવી લીધા હતા, તેમ છતાં તેમને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાથી અમિતાભ બચ્ચન ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક ઐશ્વર્યાને મુંબઈ લાવવા માટે અનિલ અંબાણીનું પ્રાઈવેટ જેટ મંગાવ્યું હતું.

મિલિટ્રી બેઝ અને સીટો કઢાવવાની ખાસ વ્યવસ્થા

અમિતાભ બચ્ચને માત્ર વિમાન જ નહીં, પરંતુ નાસિકમાં નાઈટ લેન્ડિંગની સુવિધા ન હોવાથી દિલ્હીથી સ્પેશિયલ પરમિશન લઈને મિલિટ્રી બેઝ પર વિમાનને લેન્ડ કરાવવાની વ્યવસ્થા પણ કરી હતી. ઐશ્વર્યાને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે પ્રાઈવેટ જેટની અંદરની સીટો પણ કઢાવી નાખવામાં આવી હતી, જેથી તેમને સ્ટ્રેચર પર આરામથી લઈ જઈ શકાય.

‘ખાકી’ ફિલ્મ અને કલાકારો

વર્ષ 2004માં રિલીઝ થયેલી ‘ખાકી’ એક એક્શન-થ્રિલર ફિલ્મ હતી, જેમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અક્ષય કુમાર, અજય દેવગણ અને તુષાર કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં અજય દેવગણ અને અક્ષય કુમારે 10 વર્ષ બાદ સાથે કામ કર્યું હતું. રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સ્ટારકાસ્ટ અને એક્શન દ્રશ્યોને કારણે તે આજે પણ પ્રેક્ષકોમાં લોકપ્રિય છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ

Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Mahaprabhu Jagannath Movie Supreme Court Order સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી, રામાયણમહાભારતનું ઉદાહરણ આપી ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મને આપી લીલી ઝંડી
Ramayana Ranbir Kapoor Music Deal રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની મ્યુઝિક ડીલ TSeries એ ₹૭૫ કરોડમાં ખરીદ્યા મ્યુઝિક રાઇટ્સ
Exit mobile version