News Continuous Bureau | Mumbai
Sunjay Kapur Will After Death: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ અને જાણીતા બિઝનેસમેન સંજય કપૂર ના નિધનથી કપૂર પરિવાર શોકમાં છે. નાગરિકતાની પ્રક્રિયાને કારણે તેમના અંતિમ સંસ્કાર હજુ સુધી થયા નથી. સંજય કપૂર પોતાના પાછળ અણગણિત સંપત્તિ છોડી ગયા છે જેમાં ઘર, ગાડીઓ, વિદેશી પ્રોપર્ટી અને બિઝનેસ શામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Hina Khan: લગ્ન પછી પહેલીવાર ટીવી પર આવશે હિના ખાન,પતિ રોકી સાથે આ શો માં જોવા મળશે અભિનેત્રી
અરબો રૂપિયાની નેટવર્થ, લંડનથી મુંબઈ સુધી પ્રોપર્ટી
સંજય કપૂર પાસે દિલ્હી, મુંબઈ અને લંડનમાં અનેક લક્ઝરી બંગલા હતા. તેઓ રિયલ એસ્ટેટ અને અનેક કંપનીઓમાં રોકાણ કરતા હતા. ફોર્બ્સ રિપોર્ટ મુજબ તેમની કુલ નેટવર્થ લગભગ 13,000 કરોડ હતી. તેઓ લક્ઝરી કાર્સના શોખીન હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કરિશ્મા કપૂર સાથેના છૂટાછેડા બાદ સંજય કપૂરે તેને 70 કરોડ રૂપિયાની એલિમની આપી હતી. સાથે જ ખાર વિસ્તારમાં આવેલા તેમના પિતાના ઘરની માલિકી પણ કરિશ્માને સોંપી હતી. બાળકોની કસ્ટડી કરિશ્માને મળી હતી, પરંતુ ખર્ચ સંજય કપૂર ઉઠાવતા હતા. તેમણે બાળકો માટે 14 કરોડ રૂપિયાનો બોન્ડ પણ ખરીદ્યો હતો, જેનાથી દર વર્ષે 10 લાખ રૂપિયા નું વ્યાજ મળતું હતું.
Progress demands bold choices, not perfect conditions. #MondayMotivation pic.twitter.com/vapd8KkOuU
— Sunjay Kapur (@sunjaykapur) June 9, 2025
મીડિયા રિપોર્ટ મુજબ સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ હવે તેમની સંપત્તિની મુખ્ય વારસદાર બનશે. 13,000 કરોડના બિઝનેસની જવાબદારી હવે પ્રિયા સચદેવના હાથમાં હશે. સંજયના મૃત્યુ બાદ તેમના ત્રણ બાળકો અને એક પુત્રીની જવાબદારી પણ હવે પ્રિયા પર રહેશે. પરિવાર હજુ પણ આ અચાનક ઘટનાથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
