Site icon News Continuous Bureau | Mumbai

Kajol : કાજોલે એવું તે શું કહ્યું કે મચી ગયો હંગામો, જાણો કેમ સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

કાજોલે ભારતીય રાજનેતાઓ વિશે શું કહ્યું કે તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની? શરૂઆતથી જ સમજો કે આ આખો મામલો ક્યાંથી શરૂ થયો.

why-kajol-in-controversy-what-is-the-statement-about-political-leaders-education

why-kajol-in-controversy-what-is-the-statement-about-political-leaders-education

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી કાજોલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. વાસ્તવમાં કાજોલે એક ઈન્ટરવ્યુમાં આવું નિવેદન આપ્યું હતું જેના પછી તે વિવાદોનો વિષય બની ગઈ હતી. હાલમાં જ કાજોલે પણ ટ્વીટ કરીને આ વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપી હતી. કાજોલે સ્પષ્ટતા કરી હતી કે હું માત્ર શિક્ષણ અને તેના મહત્વ વિશે મારો અભિપ્રાય આપી રહી હતી.

Join Our WhatsApp Channel

નિવેદન પર થયો વિવાદ

કાજોલ આ દિવસોમાં તેની આગામી વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’નું પ્રમોશન કરી રહી છે. આ સિરીઝમાં કાજોલ એક શક્તિશાળી વકીલની ભૂમિકા ભજવી રહી છે. કાજોલની આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14 જુલાઈએ રિલીઝ થશે. એક પ્રમોશનલ ઈન્ટરવ્યુ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કાજોલે કહ્યું, “ખાસ કરીને ભારત જેવા દેશમાં વિકાસની ગતિ ખૂબ જ ધીમી છે. તે ખૂબ જ ધીમી છે. કારણ કે આપણે આપણી પરંપરાઓ અને વિચારોમાં ઊંડા ઊતરેલા છીએ.” કાજોલે કહ્યું, “સ્વાભાવિક છે કે આ બાબતોનો શિક્ષણ સાથે ઘણો સંબંધ છે. તમે એવા રાજકારણીઓને ચૂંટો છો જેમની પાસે કોઈ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ નથી. મને માફ કરશો પણ હું આ વાત જાહેરમાં કહેવા જઈ રહી છું. રાજકારણીઓ શાસન કરી રહ્યા છે, તેમાંથી ઘણા લોકો પાસે દૃષ્ટિકોણ નથી.. મને લાગે છે કે તમને તે તમારા શિક્ષણમાંથી (વ્યુ પોઈન્ટ) મળે છે. શિક્ષણ તમને અલગ દૃષ્ટિકોણ રાખવાની તક આપે છે.”

આ સમાચાર પણ વાંચો : CM Eknath Shinde: હાઈવે પર એમ્બ્યુલન્સ બંદ પડ્યા, પછી મુખ્યમંત્રીનો કાફલો આવ્યો અને…; મુખ્યમંત્રીની સંવેદનશીલતાનો ફરી એકવાર પુરાવો

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ કાજોલ

કાજોલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. કેટલાક રાજકીય પક્ષોના સમર્થકોએ તેને પોતાના પર લીધો અને કાજોલ ટ્રોલ થવા લાગી. લોકોનો વિરોધ વધ્યો ત્યારે કાજોલે સ્પષ્ટતા આપતા ટ્વિટર પર લખ્યું- મારો ઉદ્દેશ્ય કોઈ રાજનેતાનું અપમાન કરવાનો ન હતો, અમારી પાસે કેટલાક મહાન નેતાઓ છે જે આપણા દેશને સાચા રસ્તે લઈ જઈ રહ્યા છે.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version