Site icon News Continuous Bureau | Mumbai

શું રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ સીધી OTT પર થશે રિલીઝ? ડિરેક્ટર આપ્યો આ જવાબ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરૂવાર

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર છેલ્લે દિગ્દર્શક રાજકુમાર હિરાનીની સુપરહિટ ફિલ્મ સંજુમાં જોવા મળ્યો હતો. જેમાં રણબીર કપૂર દર્શકોની સામે સંજય દત્તના રૂપમાં જોવા મળ્યો હતો. ફિલ્મ સંજુ બાદ રણબીર કપૂરની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી નથી. રણબીર કપૂર ની શમશેરા અને બ્રહ્માસ્ત્રની રિલીઝ પહેલા જ  વિલંબમાં પડી હતી અને હવે તેમની ફિલ્મો કોરોના વાયરસની મહામારીને કારણે અટકી ગઈ છે. કોવિડ-19ના યુગમાં ઘણા કલાકારોની ફિલ્મો સીધી OTT પર રિલીઝ થઈ રહી છે, જેના કારણે ટ્રેડ પંડિતો શમશેરાને લઈને ચિંતિત છે કે શું મેકર્સ તેને થિયેટરોમાં લાવવા માટે કોરોનાના અંતની રાહ જોશે?

ફિલ્મના દિગ્દર્શક કરણ મલ્હોત્રાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે તે નિર્માતાઓનો નિર્ણય છે કે તેઓ શમશેરાને ક્યાં રિલીઝ કરવા માંગે છે. કરણ મલ્હોત્રાએ મીડિયા  સાથે વાત કરતા કહ્યું, 'તે સંપૂર્ણપણે નિર્માતાઓનો નિર્ણય છે, તેઓ તેમની ફિલ્મ ક્યાં રજૂ કરશે? આદિત્ય ચોપરા લાંબા સમયથી ફિલ્મ બિઝનેસમાં છે અને તે તેને સારી રીતે સમજે છે. તે ફિલ્મ બિઝનેસમાં નિષ્ણાત છે, મેં આ નિર્ણય તેમના પર છોડી દીધો છે.મને સર્જનાત્મક કાર્ય કરવામાં આનંદ આવે છે. મેં મારી સમજ પ્રમાણે સારી ફિલ્મ બનાવી છે. તે ક્યારે રિલીઝ થશે, તે આદિત્ય ચોપરાનો નિર્ણય છે. મારા નિર્માતાએ મને ફિલ્મ દરમિયાન સંપૂર્ણ સ્વતંત્રતા આપી, જેના માટે હું તેમનો આભારી છું. કરણ મલ્હોત્રાએ આગળ કહ્યું કે  ‘હું પણ શમશેરાની રિલીઝ ને લઇ ને  ઉત્સાહિત છું. મને આશા છે કે તે ટૂંક સમયમાં રિલીઝ થશે. જો કે, હું કહેવા માંગુ છું કે શમશેરાની રિલીઝ વિશે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે નિર્માતા યોગ્ય સમયે તેની રિલીઝની જાહેરાત કરશે.

આ દિવસે થશે અક્ષય કુમાર ની ફિલ્મ 'બચ્ચન પાંડે' રિલીઝ , અભિનેતા એ પોસ્ટર શેર કરી આપી માહિતી; જાણો વિગત

ફિલ્મ શમશેરા યશ રાજ બેનરની મેગા બજેટ ફિલ્મ છે, જેમાં રણબીર કપૂરની સાથે વાણી કપૂર અને સંજય દત્ત પણ જોવા મળશે. યશ રાજ બેનરની આ પીરિયડ ડ્રામા દર્શકોની સામે ડાકુઓની વાર્તા રજૂ કરશે, જેમાં રણબીર કપૂર એક્શન કરતો જોવા મળશે.

 

Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Exit mobile version