Site icon

yeh rishta kya kehlata hai: શું જય સોની બાદ હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી હર્ષદ ચોપડા નું પત્તુ કપાશે? આ સવાલ પર પ્રણાલી રાઠોડે આપ્યો આ જવાબ

ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સાથે જોડાયેલા સમાચાર છે કે હર્ષદ ચોપરા શો છોડી શકે છે. જણાવી દઈએ કે હર્ષદ અભિમન્યુનો રોલ કરી રહ્યો છે.હવે આ અંગે પ્રણાલી રાઠોડ એટલે કે અક્ષરા એ પોતાનું મૌન તોડ્યું છે.

yeh rishta kya kehlata hai akshara aka pranali rathod on harshad chopra leaving show

yeh rishta kya kehlata hai: શું જય સોની બાદ હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી હર્ષદ ચોપડા નું પત્તુ કપાશે? આ સવાલ પર પ્રણાલી રાઠોડે આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સિરિયલમાં પ્રણાલી અને હર્ષદ સાથે જય સોની પણ જોવા મળ્યો હતો. જય સોનીએ સિરિયલમાં અભિનવની ભૂમિકા ભજવી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. સિરિયલમાં અભિનવનું અવસાન થયું છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિરિયલમાં અભિમન્યુનો રોલ કરી રહેલા હર્ષદ ચોપરાનો રોલ પણ ખતમ થવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે હર્ષદ ચોપરા પણ ટૂંક સમયમાં શો ને ટાટા બાય-બાય કહી શકે છે. હવે ટીવીની અક્ષરા એટલે કે પ્રણાલી રાઠોડે આ સમાચારો પર મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

 

પ્રણાલી રાઠોડે જણાવી હકીકત 

વાસ્તવમાં ટીવી એક્ટ્રેસ પ્રણાલી રાઠોડે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું હર્ષદ ચોપરા યે રિશ્તા ક્યા કહેલાતા હૈને અલવિદા કહી રહ્યા છે? આ અંગે તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. અભિનેત્રીએ કહ્યું કે મને આ વિશે કોઈ માહિતી નથી. હું આ અંગે ટિપ્પણી કરીશ નહીં. પ્રણાલી રાઠોડે એ પણ જણાવ્યું કે શોમાં આવનારા દિવસોમાં ઘણા ટ્વિસ્ટ આવવાના છે. જણાવી દઈએ કે હર્ષદ ચોપરા એ ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેના કેપ્શનમાં હર્ષદે લખ્યું, ‘જેટલું વહેલું તેટલું સારું. આ અંત છે.’ અભિનેતાની આ પોસ્ટ પછી, લોકો અનુમાન કરવા લાગ્યા કે તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છોડવાનું વિચારી રહ્યો છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો ટ્રેક 

આ દિવસોમાં અભીર પર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની સ્ટોરી ચાલી રહી છે. અભિનવના મૃત્યુ બાદ અભીર ડિપ્રેશનમાં ગયો છે અક્ષરા અને અભિમન્યુએ તેનો ઈલાજ કરવા હાથ મિલાવ્યા છે. ગોએન્કા અને બિરલા પરિવાર પણ એક થઈ ગયા છે. હવે અભિમન્યુ નાના નાના પ્રયાસો કરીને અભીર ને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટૂંક સમયમાં સિરિયલમાં ઘણા ટ્વિસ્ટ આવશે. જો કે, ચાહકો હજુ પણ અભિમન્યુ અને અક્ષરાના એક થવાની રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : saba – hrithik:હૃતિક રોશન સાથેના સંબંધો પર સબા આઝાદે કરી ખુલીને વાત, લોકોને સમજાવી મર્યાદા

 

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version