Site icon News Continuous Bureau | Mumbai

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ

ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈની વાર્તામાં નવી એન્ટ્રી થવા જઈ રહી છે. જય સોની આવી ચૂક્યો છે અને હવે શ્રેયાંશ આ સિરિયલમાં અક્ષરાના પુત્ર તરીકે જોવા મળશે.

yeh rishta kya kehlata hai child actor shreyansh kaurav play akshara son role after leap

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જય સોની બાદ હવે આ કલાકાર ની થશે એન્ટ્રી, સિરિયલ માં આવશે લીપ

News Continuous Bureau | Mumbai

 ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ દિવસોમાં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સિરિયલમાં નીલનું મોત થયું છે. આ સાથે અક્ષરા અને અભિમન્યુ પણ અલગ થઈ ગયા છે. બંનેએ છૂટાછેડા લઈ લીધા છે. પરંતુ સ્ટોરીમાં વધુ એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે, જેને જોઈને ફેન્સ ખરેખર ખુશ થઈ જશે. અક્ષરા અને અભિમન્યુના ચાહકો આ દિવસોમાં દિલગીર છે કારણ કે બંને અલગ થઈ ગયા છે. પરંતુ હવે વાર્તામાં અક્ષરા અને અભિમન્યુના બાળકની એન્ટ્રી થવાની છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે અક્ષરાના બાળકની આ ભૂમિકા કયો બાળ કલાકાર ભજવવા જઈ રહ્યો છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

Join Our WhatsApp Channel

અક્ષરા એક પુત્રની માતા બનશે

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં મેકર્સ વાર્તામાં પાંચ વર્ષનો સીધો લીપ લાવી રહ્યા છે. છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે અક્ષરા હજુ પણ ગર્ભવતી છે. તેમનું એક બાળક હજી જીવિત છે અને હવે લીપ બાદ તે એક પુત્રની માતા બનશે તેવું બતાવવામાં આવશે. અભિનેતા શ્રેયાંશ કૌરવ અક્ષરાના પુત્રની ભૂમિકામાં જોવા મળશે. એક ન્યૂઝ પોર્ટલ નો એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાળ કલાકાર શ્રેયાંશ કૌરવ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પ્રણાલી રાઠોડના ઓનસ્ક્રીન પુત્રની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અભિનવ (જય સોની) તેના પિતા તરીકે જોવા મળશે. અભિનવ પોતાનું નામ અક્ષરાના પુત્રને આપશે. જોકે, અક્ષરા અને અભિનવ લગ્ન નહીં કરે.

આ સમાચાર પણ વાંચો:  શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર સાધ્યું નિશાન, કોઈ નું પણ નામ લીધા વિના કહી આવી વાત ..

 સિરિયલને 14 વર્ષ પૂરા થશે

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીની બ્લોકબસ્ટર સિરિયલ છે, જે વર્ષોથી TRP લિસ્ટમાં રહી છે. આ સિરિયલ ટૂંક સમયમાં તેના 14 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ સિરિયલની સ્ટારકાસ્ટ વર્ષોથી ઘણી વખત બદલાઈ છે. લીપની સાથે સ્ટોરીમાં ઘણા મોટા ટ્વિસ્ટ પણ આવ્યા છે. સિરિયલની શરૂઆત અક્ષરા (હિના ખાન), નૈતિક (કરણ મેહરા) અને તેમના પરિવારથી થાય છે. આ પછી વાર્તા નાયરા (શિવાંગી જોશી) અને કાર્તિક (મોહસીન ખાન)ની આસપાસ ફરતી હતી. તે જ સમયે, હવે આ સીરિયલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version