News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી શહેજાદા ધામી અને પ્રતિક્ષા હોનમુખે ને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. હવે શો મોં રોહિત પોદ્દાર નું ભૂમિકા ભજવનાર અભિનેતા શિવમ ખજુરિયા એ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અભિનેતા એ કહ્યું કે તે ગર્વિતા સિધવાની સાથે મોક શૂટ કરી રહ્યો હતો તેથી તેને ખ્યાલ હતો કે કંઈક ખોટું થઈ શકે છે. ત્યારબાદ તેને કહ્યું કે જ્યારે નિર્માતાએ યુનિટને પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે બધા ચોંકી ગયા હતા..
આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુક્યા બાદ પ્રતિક્ષા હોનમુખે એ આપ્યો મેકર્સને જડબાતોડ જવાબ, ક્રિપ્ટીક પોસ્ટ લખી કહી આવી વાત
શિવમ ખજુરિયા એ કર્યો ખુલાસો
મીડિયા સાથે ની વાતચીત દરમિયાન શિવમે કહ્યું કે ‘શહેજાદા એ યુનિટના લોકો અને સ્ટાફ સાથે અભદ્ર વાત કરી હતી. યુનિટ ને રાહ જોવડાવી ને બંને વાતોમાં સમય પસાર કરતા. પ્રતિક્ષા હોનમુખે એક સ્વીટ છોકરી હતી પરંતુ લાગે છે કે શહેજાદા ધામીએ તેને ગેરમાર્ગે દોરી છે. શિવમ ઘણીવાર તેને સેટ પર લોકો શું કહે છે તેના પર ધ્યાન આપવાને બદલે તેના કામ પર ધ્યાન આપવા કહેતો હતો. પરંતુ કદાચ તે શહેજાદા ધામી સાથે એટલી જોડાયેલી હતી કે તેને તેની પરવા નહોતી. શહેજાદા અને પ્રતિક્ષા માટે આ એક મોટી તક હતી. શહેજાદા એ હવે તેની ભૂલમાંથી શીખવાની જરૂર છે.’
