News Continuous Bureau | Mumbai
Yeh Rishta Kya Kehlata Hai Spoiler| સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની વાર્તા ફરી એકવાર વળાંક લઈ રહી છે. સમૃદ્ધિ શુક્લા (અભિરા) અને રોહિત પુરોહિત (અરમાન) ના શોમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે અભિરા અને અરમાન સાથે રહેવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, પરંતુ પરિવારના સભ્યો તેમની મુશ્કેલીઓ વધારી રહ્યા છે.
અભિરાનો આક્રમક અંદાજ
શોમાં અત્યાર સુધી તમે જોયું કે અભિરા અને અરમાન કાઉન્સેલિંગ માટે જાય છે. ઘરે આવતા જ તેમને ખબર પડે છે કે કૃષ તેમની એજન્સી પર કબજો કરવાની ફિરાકમાં છે. આ સાંભળતા જ અરમાન અને કૃષ વચ્ચે ઝઘડો થાય છે. આ દરમિયાન અભિરા ‘ઝાંસીની રાણી’ બનીને કૃષ પર ભડકી જાય છે અને તેને આખા પરિવાર સામે જલીલ કરે છે. અભિરા દાવો કરે છે કે તેના જીવતા કોઈ પણ અરમાનને નુકસાન પહોંચાડી શકશે નહીં.
અરમાન કૃષને ઘરમાંથી કાઢી મૂકશે
આગામી એપિસોડમાં તમે જોશો કે અરમાન હવે કૃષને શાંતિથી જીવવા નહીં દે. કૃષ જ્યારે તાન્યા અને પોતાની માતા પર ગુસ્સો કાઢશે, ત્યારે અરમાનનો પારો સાતમા આસમાને પહોંચી જશે. અરમાન કોઈપણ મોડું કર્યા વગર કૃષને ઘરની બહાર કાઢી મૂકશે. જોકે, કૃષ ઘર છોડવાની ના પાડશે અને કહેશે કે અરમાનની જેમ તે પણ આ ઘરનો દીકરો છે.
અભિરા અને અરમાન વચ્ચે નવી જંગ
બીજી તરફ, વિદ્યા અરમાન સાથે વાત કરવા માટે તડપી રહી છે તે જોઈને અભિરા બંનેને મેળવવાનો પ્રયાસ કરશે. જોકે, આ બાબત અરમાનને પસંદ નહીં આવે અને તે અભિરા પર ગુસ્સે થશે. આ દરમિયાન કાઉન્સેલિંગમાં તેમને એક નવો ટાસ્ક આપવામાં આવશે. કાઉન્સેલર બંનેને એક-એક ફુગ્ગો આપીને તેનું ધ્યાન રાખવા કહેશે. આ ફુગ્ગાને બચાવવાની પ્રક્રિયામાં અરમાનનો અકસ્માત પણ થઈ જશે, જેના કારણે વાર્તામાં મોટો વળાંક આવશે.
👉 આ સમાચાર વાચો:
Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક
