Site icon News Continuous Bureau | Mumbai

ભૂખ્યા રહો, ઈસુને મળાશે… અંધશ્રદ્ધાએ 47ના જીવ લીધા! ફાધરના કહેવાથી સામૂહિક આત્મહત્યાનો કેસ

કેન્યામાંથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાદરીના કહેવા પર 47 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે... વાંચો, શું છે સમગ્ર મામલો.

News Continuous Bureau | Mumbai

આફ્રિકન દેશ કેન્યામાં એક ખ્રિસ્તી ધર્મગુરુના કહેવાથી 47 લોકોએ ભૂખે મરતા સામૂહિક આત્મહત્યા કરી છે . કિલ્ફી પ્રાંતના શાકાહોલા જંગલમાંથી પોલીસે આ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્યાના શાકાહોલા જંગલમાંથી મૃતદેહો મળવાનું ચાલુ છે.

Join Our WhatsApp Channel

હકીકતમાં, ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચના એક પાદરીએ આ લોકોને કહ્યું હતું કે જો તેઓ ભૂખે મરશે અને પોતાને દફનાવશે તો તેઓ જીસસને મળશે અને સ્વર્ગમાં જશે. હવે આ લોકોના મૃતદેહોને બહાર કાઢવાનું કામ ત્રણ દિવસથી ચાલી રહ્યું છે.

એક જ પરિવારના 5 લોકોને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

કેન્યાની પોલીસે એક જ પરિવારના 5 લોકોને કબરમાંથી બહાર કાઢ્યા છે જેઓ ઈસુને એકસાથે મળવા માંગતા હતા. આ ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે પોલ મેકેન્ઝી નામના પાદરીની ધરપકડ કરી હતી. જોકે તે કહે છે કે તેણે લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા નથી. તેનું કહેવું છે કે તેણે 2019માં જ ચર્ચ બંધ કરી દીધું હતું.

મૃતદેહો માટે ડીએનએ સેમ્પલ લેવાઈ રહ્યા છે

ન્યૂઝ વેબસાઈટ ‘કેન્યા ડેઈલી’ અનુસાર, પોલીસ હવે તમામ મૃતદેહોમાંથી ડીએનએ સેમ્પલ એકત્રિત કરી રહી છે જેથી સાબિત થઈ શકે કે લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા છે. અગાઉ પણ પાદરી પોલ મેકેન્ઝીના કારણે બે બાળકોના મોત થયા હતા. ત્યારબાદ તેના માતા-પિતાની ફરિયાદ પર તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે તેને 10,000 કેન્યા શિલિંગ એટલે કે 6,000 રૂપિયાના દંડ પર છોડી દેવામાં આવ્યો હતો. આ પછી, જ્યારે 14 એપ્રિલે પોલીસને 11 લોકોના મૃતદેહ મળ્યા, ત્યારે તે ફરીથી પકડાયો.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની રિયલ એસ્ટેટ ડીલ વધુ એક વખત ચર્ચામાં, દક્ષિણ મુંબઈનો એક બંગલો 220 કરોડ રૂપિયામાં વેચાયો. જાણો કોણ છે ખરીદદાર.

 

US Sanctions Indian Company અમેરિકાનો મોટો નિર્ણય શસ્ત્રોના સપ્લાય મામલે ભારતીય કંપની અને તેના CEO પર લગાવી પ્રતિબંધ
PM Modi Seychelles Visit PM Modi Seychelles Visit સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસમાં પીએમ મોદી બનશે મુખ્ય અતિથિ, વ્યૂહાત્મક રીતે મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ
Global Trust Survey Global Trust Survey અમેરિકા અને ટ્રમ્પ પરથી ભારતીયોનો વિશ્વાસ ઘટ્યો, પુતિન બન્યા પ્રથમ પસંદગી!
USIran Conflict USIran Conflict અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી જંગના મંડાણ, બંને દેશો વચ્ચે વધતા સૈન્ય તણાવથી વિશ્વ ચિંતિત
Exit mobile version