Site icon

કોરોના કાળમાં થઈ ભયંકર ટીકા, નૈતિકતાના આધારે રાજીનામું આપશે આ દેશના વડાપ્રધાન ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ટૂંક સમયમાં જ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે. 

તેમણે કહ્યું કે તેઓ શાસક પક્ષનું નેતૃત્વ કરવા માટે પોતાની ઉમેદવારી આગળ રજૂ કરશે નહીં. 

એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેઓ જાપાનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે.

જાપાનની સરકારી મીડિયા એજન્સી એનએચકે અનુસાર, સુગાએ શુક્રવારે તેના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ના અધિકારીઓને કહ્યું કે તેઓ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે પોતાની ઉમેદવારી રજૂ કરશે નહીં, જેના માટે 29 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં સુગાની કોવિડ -19 વૈશ્વિક મહામારી સાથે ઝડપથી કાર્યવાહી ન કરવા અને જાહેર આરોગ્યની ચિંતા હોવા છતાં ઓલિમ્પિક યોજવા બદલ ટીકા કરવામાં આવી છે. 

આ ટીકાઓ અને તેના સપોર્ટ રેટિંગમાં ઘટાડાને કારણે, સુગાએ પીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

આમ જનતાને મોંઘવારીમાં વધુ એક ઝટકો લાગશે, ટેલિકોમ ઓપરેટરો દરમાં વધારો કરશે; જાણો વિગતે 

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version