Site icon News Continuous Bureau | Mumbai

Afghan Embassy: વધુ એક દેશને ભારત સાથે વાંકુ પડ્યું, આ દેશની એમ્બેસીએ કામકાજ જ બંધ કરી દીધું.. જાણો શું છે મુખ્ય કારણ.. વાંચો વિગતે અહીં..

Afghan Embassy: અફઘાનિસ્તાનની એમ્બેસીએ ભારતમાં તેની કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. રવિવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં સરકાર તરફથી સમર્થનનો અભાવ અને અફઘાનિસ્તાનના હિતોની સેવામાં અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળતાને ટાંકવામાં આવી છે.

Afghan Embassy: One more country bows out with India, Afghanistan embassy shuts down.. Know what is the main reason

Afghan Embassy: One more country bows out with India, Afghanistan embassy shuts down.. Know what is the main reason

News Continuous Bureau | Mumbai 

Afghan Embassy: અફઘાનિસ્તાનની એમ્બેસી ( Afghanistan Embassy ) એ ભારત (India) માં તેની કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. રવિવારે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં સરકાર તરફથી સમર્થનનો અભાવ અને અફઘાનિસ્તાનના હિતોની સેવામાં અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળતાને ટાંકવામાં આવી છે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ કહ્યું, ‘દૂતાવાસને યજમાન સરકાર તરફથી સમર્થન નથી મળી રહ્યું, જેના કારણે અમારા કામમાં અવરોધ ઊભો થયો છે.’

Join Our WhatsApp Channel

અફઘાન દૂતાવાસના ત્રણ અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે અફઘાન રાજદૂત ( Afghan Ambassador ) અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓ ભારત છોડીને યુરોપ ગયા અને અમેરિકામાં ( USA ) શરણ લીધા પછી આ ઘટના બની હતી. અહીં કર્મચારીઓની અછત હતી. દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ અફઘાન રાજદ્વારીઓ ( Afghan diplomats ) ભારત છોડી ગયા છે. સાથોસાથ અફઘાન દૂતાવાસે પરિસરમાં અફઘાનિસ્તાનનો ધ્વજ રાખવાની માંગ કરી છે.

 સંસાધન અને કર્મચારીઓની અછત..

અફઘાનિસ્તાને દૂતાવાસ બંધ કરવાના કારણોની યાદી આપી હતી. તેના નિવેદનમાં, દૂતાવાસે મિશનને અસરકારક રીતે ચલાવવામાં અસમર્થ હોવાના કેટલાક પરિબળોને સૂચિબદ્ધ કર્યા છે અને કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયના મુખ્ય કારણો છે.

અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો કે તેને યજમાન દેશ તરફથી મહત્વપૂર્ણ સમર્થનનો અભાવ હતો જેના કારણે તે પોતાનું કામ અસરકારક રીતે કરી શક્યો ન હતો. દૂતાવાસે એમ પણ કહ્યું છે કે તે અફઘાનિસ્તાનના હિતોને પૂર્ણ કરવામાં અપેક્ષાઓ પર પાર ઉતર્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Ganesh Visarjan 2023: પોલીસની મહેનત લાવી રંગ, ગણપતિ વિસર્જન દરમિયાન છૂટા પડી ગયેલા આટલા બાળકોને મુંબઈ પોલીસે તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવ્યું.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે .. વાંચો અહીં…

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખૂબ જ દુઃખ, ખેદ અને નિરાશા સાથે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનની એમ્બેસી તેની કામગીરી બંધ કરવાના આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે છે. જો કે આ નિર્ણય અત્યંત ખેદજનક છે, પરંતુ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને લાંબા ગાળાની ભાગીદારીને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા બાદ લેવામાં આવ્યો છે.

અફઘાન દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુંદજે કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યા બાદ ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની એમ્બેસી બંધ કરી દીધી હતી. જો કે, ભારત સરકારે અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ અશરફ ગની દ્વારા નિયુક્ત રાજદૂત અને મિશન સ્ટાફને વિઝા આપવા અને ભારતમાં વેપારના મુદ્દાઓ સંભાળવાની મંજૂરી આપી હતી.

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Middle East War Petro Gas Prices દરિયાઈ નાકાબંધીથી ગ્લોબલ ક્રૂડ માર્કેટ ડામાડોળ, સાઉદીના રૂટ સીલ થતાં કાચા તેલમાં ભડકો, ભારતમાં ઈંધણના ભાવ વધવાની ભીતિ
Iran US War Pakistan ઈરાનઅમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ ‘બલિનો બકરો’ બન્યું, MoU પણ રદ્દી કાગળ સાબિત થયો!
Exit mobile version