Site icon

AstraZeneca Vaccine side effect : કોવિશિલ્ડ રસી બની શકે છે હાર્ટ એટેક- બ્રેઈન સ્ટ્રોકનું કારણ! AstraZeneca કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું

AstraZeneca Vaccine side effect : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 રસી ગંભીર આડઅસર કરી શકે છે. ભારતમાં આપણે આ રસીને કોવિશિલ્ડ તરીકે જાણીએ છીએ. એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ રસી વિકસાવી હતી. તેનો ઉપયોગ માત્ર ભારતના કોવિડ રસીકરણ અભિયાનમાં જ થયો ન હતો, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવી હતી.

AstraZeneca Vaccine side effect AstraZeneca Makes Big U-Turn, Admits Covishield Can Cause Rare Side Effects

AstraZeneca Vaccine side effect AstraZeneca Makes Big U-Turn, Admits Covishield Can Cause Rare Side Effects

News Continuous Bureau | Mumbai

AstraZeneca Vaccine side effect : કોરોના રોગચાળાએ સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવ્યો હતો. આ મહામારીને કારણે કરોડો લોકોના મોત થયા હતા. અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ ગઈ હતી.  તે સમયે આ મહામારી સામે લડવા માટે ભારત સરકારે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. રસીકરણ માટે સરકારે ઘણા પ્રયત્નો પણ કર્યા  હતા. દરમિયાન હવે કોરોના સમયગાળા દરમિયાન આપવામાં આવેલી કોવિશિલ્ડ રસી અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. 

Join Our WhatsApp Community

 AstraZeneca Vaccine side effect કંપની એસ્ટ્રાઝેનેકા સ્વીકાર્યું- રસી લોકોમાં દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે..

મીડિયા રિપોર્ટ અનુસાર આ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)  એ  રોગચાળાના લગભગ 4 વર્ષ પછી, હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં દુર્લભ આડઅસરો પેદા કરી શકે છે. એસ્ટ્રાઝેનેકાએ એક કાનૂની કેસમાં, સ્વીકાર્યું કે તેની કોરોના રસી, જે વિશ્વભરમાં કોવિશિલ્ડ અને વેક્સજાવરિયા નામથી વેચાતી હતી, તે લોકોમાં લોહીના ગંઠાવા સહિતની આડઅસર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે હાર્ટ એટેક, બ્રેઈન  સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે છે. કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

 AstraZeneca Vaccine side effect ભારતમાં કોવિશિલ્ડના નામથી મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો 

બ્રિટિશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે. જો કે, રસીના કારણે થતી આડઅસર સ્વીકાર્યા પછી પણ, કંપની તેના કારણે થતા રોગો અથવા ખરાબ અસરોના દાવાનો વિરોધ કરી રહી છે. આ સમાચાર ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કોવિડ -19 ના ફેલાવા દરમિયાન, તે જ ઓક્સફોર્ડ-એસ્ટ્રોઝેનેકા રસીનો અહીં કોવિશિલ્ડના નામથી મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 AstraZeneca Vaccine side effect ભારતમાં કોવિડ પછી મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો 

કોરોના રોગચાળા દરમિયાન, લોકોને રોગથી બચાવવા માટે Oxford-AstraZeneca રસી આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લગાવવામાં આવી હતી. કોવિશિલ્ડ ઉપરાંત, આ રસી ઘણા દેશોમાં વેક્સજાવેરિયા બ્રાન્ડ નામથી પણ વેચવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમીથી ત્રાહિમામ, તાપમાન 43 ડિગ્રીને પાર, આ વિસ્તારોમાં હીટ વેવ એલર્ટ જારી.. જાણો વિગતે..

મહત્વનું છે કે ભારતમાં કોવિડ પછી, આવા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આમાંના મોટા ભાગના કોઈને કોઈ શારીરિક સમસ્યા અથવા અન્ય સાથે જોડાયેલા હતા અને સરકાર અને આરોગ્ય જગત ક્યારેય માનતા ન હતા કે કોવિડ રસીની આડ અસરોને કારણે આવું થઈ શકે છે. હવે કંપનીની આ સ્વીકૃતિ બાદ ભારતમાં પણ મુકદ્દમો નો દોર શરૂ થવાની શક્યતા છે.

 AstraZeneca Vaccine side effect  કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?

એસ્ટ્રાઝેનેકા સામે આ કેસ જેમી સ્કોટ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમને આ રસી લીધા પછી મગજને નુકસાન થયું હતું. ઘણા પરિવારોએ આ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. કોર્ટમાં પહોંચેલા ફરિયાદીઓએ કંપની પાસેથી શરીરને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરી છે. ખાસ વાત એ છે કે બ્રિટને હવે સુરક્ષાના કારણોસર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીની આ સ્વીકૃતિ બાદ વળતરની માંગણી કરનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે. 

INS Aridaman Commissioning 2026: ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે ભારત આપશે દુશ્મનોને જડબાતોડ જવાબ: શું છે INS અરિદમનનો એવો પાવર જે સમુદ્રમાં રચશે ઇતિહાસ?.
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version