Site icon News Continuous Bureau | Mumbai

તો શું આતંકવાદી હુમલાથી મુન્દ્રા પોર્ટ માંડ માંડ બચ્યું ??જાણો ઇઝરાયેલી જહાજ પર શું થયું.

ગત મહિને ઇઝરાયલ નાએક cargo ship પર મધદરિયે હુમલો થયો હતો.એવું માનવામાં આવે છે કે એ હુમલો ઈરાન દ્વારા થયો હતો. શુક્રવારે ફરીથી ઇઝરાયેલી જહાજ પર હુમલાની બીજી ઘટના બની છે.


    ઇઝરાયેલનુ એમટી લોરી નામનું શીપ મિસાઈલ થી ઘાયલ થઈને શુક્રવારે મોડી રાત્રે મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે. એમ ટી લોરી ઇઝરાયેલ ની XT મેનેજમેન્ટ કંપની નું છે.કાર્ગો ભરીને આ શિપ તાંઝાનિયા થી મુન્દ્રા તરફ આવી રહ્યું હતું. ત્યાં જ મધદરિયે બે નાની મિસાઈલ થી શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે શિપમાં અફરાતફરી મચી ગઇ અને એન્જિન ના ભાગમાં ભારે નુકસાન થયું હતું. જો કે હુમલામાં બાદ પણ શિપ પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જોવા જેવી બાબત એ છે કે જો ઇઝરાયેલી શીપ મુન્દ્રા પોર્ટ ની વધારે નજીક હોત તો મુદ્રા પોર્ટ પર લાંગરવામાં આવેલા બીજા જહાજોને અથવા મુન્દ્રા પોર્ટ ને પણ નુકસાન થઇ શકત.
      ઉલ્લેખનીય છે કે,અરબી સમુદ્રના જળમાર્ગમાં હુમલાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઇઝરાયેલી જહાજ પર થયેલા હુમલાથી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને હુમલો કોણે કરાવ્યો તેની તપાસ  કરશે.

Join Our WhatsApp Channel
US Iran Conflict Crude Oil Price Hike અમેરિકાનો ઈરાન પર લશ્કરી હુમલો, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર
Bangladesh President Resigns સત્તા પરિવર્તનની લહેર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, દેશમાં રાજકીય હલચલ..
US Iran Conflict અમેરિકાઈરાન તણાવ ચરમસીમાએ ટ્રમ્પની ખુલ્લી ચેતવણીથી મધ્ય પૂર્વમાં સર્જાયા યુદ્ધના એંધાણ…
US Imposes 10 Percent Tariff India અમેરિકાનો કડક નિર્ણય ભારત સહિત ૧૭ દેશો પર ૧૦% ટેરિફ લાદવામાં આવ્યો, નિકાસકારોની ચિંતા વધી
Exit mobile version