Site icon News Continuous Bureau | Mumbai

વિશ્લેષણ – બલૂચિસ્તાન ની આઝાદી: ભારત અને પાડોશી દેશો માટે વ્યૂહાત્મક લાભ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની આઝાદી ભારત, નેપાળ અને ભૂતાન માટે વેપાર અને ભૂ-રાજકીય લાભો લાવી શકે છે. ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે કે આ ક્ષેત્રની આઝાદી ઘણા દેશોના હિતમાં છે

વિશ્લેષણ - બલૂચિસ્તાન ની આઝાદી ભારત અને પાડોશી દેશો માટે વ્યૂહાત્મક લાભ

વિશ્લેષણ - બલૂચિસ્તાન ની આઝાદી ભારત અને પાડોશી દેશો માટે વ્યૂહાત્મક લાભ

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની આઝાદી ભારત, નેપાળ અને ભૂતાન માટે વેપાર અને ભૂ-રાજકીય લાભો લાવી શકે છે. ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે કે આ ક્ષેત્રની આઝાદી ઘણા દેશોના હિતમાં છે.

Join Our WhatsApp Channel

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની આઝાદી માત્ર એક સ્થાનિક રાજકીય ઘટના નથી, પરંતુ તે ભારત અને તેના પાડોશી દેશો માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક અવસર બની શકે છે. આ આઝાદીથી નેપાળ અને ભૂતાનને ભારતીય ભૂમિ મારફતે અરબી સમુદ્રમાં પ્રવેશ મળી શકે છે, જે તેમના માટે એક મોટી વેપાર તક છે. ઉપરાંત, બલૂચોના ઈરાન અને ઓમાન સાથેના ઐતિહાસિક સંબંધો ભારત માટે એક વધારાનો વ્યૂહાત્મક લાભ સાબિત થઈ શકે છે.

બલૂચિસ્તાન (Balochistan) : ઇતિહાસ અને ગ્વાદર બંદર

ગ્વાદર બંદરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ બંદર ‘ખાન ઓફ કલાત’ દ્વારા ઓમાનના સુલતાનને ભેટમાં આપવામાં આવ્યું હતું. ૧૯૪૭માં જ્યારે ભારતનું વિભાજન થયું, ત્યારે ઓમાનના સુલતાને ભારતને $૧ મિલિયનમાં ગ્વાદર બંદર વેચવાની ઓફર કરી હતી, પરંતુ તે સમયે નાણાકીય કટોકટીના કારણે ભારતે આ ઓફર નકારી કાઢી. પાછળથી, પાકિસ્તાને બ્રિટિશરો પાસેથી લોન લઈને $૩ મિલિયનમાં આ બંદર ખરીદ્યું. ગ્વાદરના વેચાણ કરારમાં ઓમાનના સુલતાનને પાકિસ્તાની નાગરિકોને પોતાની સેનામાં ભરતી કરવાનો અધિકાર મળ્યો હતો. આજે પણ ઘણા મકરાની લોકો ઓમાનની સેનામાં સેવા આપી રહ્યા છે.

આઝાદી : બલૂચિસ્તાનની આઝાદીના કારણો

બલૂચિસ્તાનની આઝાદીના સમર્થનમાં ઘણા મુખ્ય કારણો છે જે આ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે.
૧. અમેરિકાની ભૂમિકા: અમેરિકાની પાકિસ્તાની સેના પ્રત્યેની બેવડી નીતિ પાકિસ્તાનને નબળું પાડશે.
૨. ચીન સાથેના સંબંધો: પાકિસ્તાની સેનાના ચીન સાથેના સંબંધો પાકિસ્તાનના નાગરિકોને કંઈ ખાસ પસંદ નથી. જેનાથી આંતરિક અશાંતિ વધશે.
૩. ઈઝરાયેલનું હિત: ઈરાનનો મુકાબલો કરવા માટે ઈઝરાયેલને બલૂચિસ્તાનમાં લશ્કરી પાયાની તાત્કાલિક જરૂર છે.
૪. ભારત-યુકે કરાર: ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર બલૂચિસ્તાનમાં યુરોપિયન દેશોના હિતને વધારશે.

આ સમાચાર પણ વાંચો : Modi Maldives Visit: ભારતનો માલદીવ માં રાજકીય દાવ : પાકિસ્તાનને ચીનમાં મળેલા આંચકા વચ્ચે મોદીની વ્યૂહાત્મક સફળતા

વ્યુહાત્મક લાભ : ભારત અને નેપાળ માટે તક

બલૂચિસ્તાનની આઝાદીથી ભારત અને તેના પાડોશી દેશોને ઘણા વ્યુહાત્મક લાભ મળી શકે છે. બલૂચિસ્તાનના સિંધ પ્રાંત મારફતે ઇન્દિરા ગાંધી કેનાલનું વિસ્તરણ કરીને પાણીની સમસ્યા હલ કરી શકાય છે. નેપાળ અને ભૂતાનને બલૂચિસ્તાનના બંદરો દ્વારા વેપાર કરવાની નવી તકો મળશે, જેનાથી તેઓ સમુદ્રી વેપારમાં સક્રિય થઈ શકશે. આ આઝાદી આ ક્ષેત્રમાં ભારતની ભૂ-રાજકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ
Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર
US Foreign Minister India Visit| ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી કોલકાતામાં, જાણો પીએમ મોદી સાથે મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ
US Green Card Rules અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા સમાન! ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમો, એક ભૂલ અને સીધા સ્વદેશ ભેગા થશો
Exit mobile version