ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાએ આખા વિશ્વને ભરડામાં લીધું છે. કડક પ્રતિબંધો બાદ હવે બ્રિટનમાં પરિસ્થિતિ સુધરી રહી છે. એવામાં બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેન્કોકે ચેતવણી આપી છે કે બ્રિટનમાં જે લોકોએ હજી વેક્સિન નથી લીધી તેઓમાં કોરોનાનું ભારતીય વેરિયન્ટ અગ્નિની જેમ ફેલાઈ શકે છે.
હેન્કોકે લોકોને વિનંતી કરી કે જેઓ રસીકરણ માટે લાયક છે, પરંતુ તેમણે રસી મેળવવા માટે હજુ સુધી કોઈ ઍપૉઇન્ટમેન્ટ લીધી નથી, આવા લોકો વહેલી તકે રસી લઈ લે. પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ)એ મીડિયાને જણાવ્યું હતું કે યુકેમાં બી ૧૬૧૭.૨ તરીકે ઓળખાતા વેરિયંટનું સંક્રમણ ગત સપ્તાહે ૫૨૦ કેસની તુલનામાં બમણા કરતાં વધુ ૧૩૧૩ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના 3.૬ કરોડ લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. જોકેસોમવારે લોકડાઉનને સરળ બનાવવાની યોજનાઓ હજી આગળ વધશે. હેન્કોકે મીડિયાને જણાવ્યા મુજબ ૨૧ જૂન સુધીમાં તમામ પાબંધીઓ હટાવી લેવી કે કેમ એનો નિર્ણય ૧૪ જૂને કરવામાં આવશે.