Site icon News Continuous Bureau | Mumbai

તુર્કી જવા માંગતા હતા પાક પીએમ શાહબાઝ શરીફ, તુર્કીએ કહ્યું- આવવાની કોઈ જરૂર નથી…

તુર્કી સરકારે ઠપકો આપતા કહ્યું કે અત્યારે અમે ભૂકંપથી સર્જાયેલી વિનાશ બાદ બચાવ અને રાહત કામોમાં વ્યસ્ત છીએ, એટલે તમે અત્યારે અહીં ન આવો. જે બાદ પાકિસ્તાનના પીએમએ તેમનો તુર્કી પ્રવાસ રદ્દ કરી દીધો

‘Busy in Rescue & Relief Works’: Turkey Cancels Pakistan PM Sharif’s Visit Amid Deadly Earthquakes

તુર્કી જવા માંગતા હતા પાક પીએમ શાહબાઝ શરીફ, તુર્કીએ કહ્યું- આવવાની કોઈ જરૂર નથી...

News Continuous Bureau | Mumbai

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ સમગ્ર વિશ્વ પરેશાન છે. ભૂકંપના કારણે 8 હજારથી વધુ લોકોના મોત થયા છે. હજારો લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. આ કુદરતી આફત બાદ સમગ્ર વિશ્વ તુર્કી અને સીરિયાની મદદ માટે આગળ આવ્યું છે. બચાવ કાર્ય માટે તમામ દેશો પોતાની ટીમ મોકલી રહ્યા છે. ભારતે મદદ માટે NDRF ટીમ, ડૉક્ટર્સ, મેડિકલ ટીમ, અસ્થાયી હોસ્પિટલ સહિત મોટી માત્રામાં રાહત સામગ્રી પણ મોકલી છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને પણ મદદ મોકલવાની ઓફર કરી, પરંતુ તુર્કીએ તેને ખરાબ રીતે ઠપકો આપી દીધો.

Join Our WhatsApp Channel

આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને અન્ય અધિકારીઓ તુર્કી સાથે એકતા દર્શાવવા ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માંગતા હતા, પરંતુ તુર્કી સરકારે ઠપકો આપતા કહ્યું કે અત્યારે અમે ભૂકંપથી સર્જાયેલી વિનાશ બાદ બચાવ અને રાહત કામોમાં વ્યસ્ત છીએ, એટલે તમે અત્યારે અહીં ન આવો. જે બાદ પાકિસ્તાનના પીએમએ તેમનો તુર્કી પ્રવાસ રદ્દ કરી દીધો.

આ મુલાકાતની માહિતી પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે આપી હતી. તેમણે મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન બુધવારે સવારે અંકારા જવા રવાના થશે. ભૂકંપના વિનાશ, જાનહાનિ અને તુર્કીના લોકો માટે તેઓ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને સંવેદના વ્યક્ત કરશે. વડાપ્રધાનની તુર્કીની મુલાકાતને કારણે ગુરુવારે બોલાવવામાં આવેલ એપીસી મોકૂફ રાખવામાં આવી છે, સાથી પક્ષો સાથે ચર્ચા કરીને નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  આ શહેરમાં પ્રશાસને તંદુરી રોટી બનાવવા પર મૂક્યો પ્રતિબંધ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સોમવારે આવેલા ભૂકંપે મચાવી તબાહી

જણાવી દઈએ કે સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. અત્યાર સુધીમાં આ ભૂકંપના કારણે 8000થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

PM Modi Norway Visit 2026। પીએમ મોદીને પ્રશ્ન પૂછનાર વિદેશી મહિલા પત્રકાર મુશ્કેલીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ
Gold Silver Price Today| અમેરિકાઈરાન સંકટ વચ્ચે સોનાચાંદીના ભાવ તૂટ્યા, ચાંદીમાં પણ થયો રેકોર્ડબ્રેક ઘટાડો
Stock Market Today ।રોકાણકારોના શ્વાસ અધ્ધર! ભારતીય શેરબજારમાં નરમાઈનો માહોલ, સેન્સેક્સ ૨૬૫ પોઈન્ટના કડાકા સાથે રેડ ઝોનમાં ખુલ્યો
Ranveer Singh Ban FWICE| બોલિવૂડમાં ભારે ખળભળાટ! રણવીર સિંહ પર પ્રતિબંધનો આદેશ? છેલ્લી ઘડીએ ‘Don 3’ છોડવી એક્ટરને પડી ભારે!
Exit mobile version