Site icon

 યુએન રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો: 6 માસની લડાઇ દરમિયાન આટલા હજાર બાળકોને હુથી બળવાખોરોએ માર્યા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

યમનમાં હુથી બળવાખોરો દ્વારા ભરતી કરાયેલા લગભગ ૨,૦૦૦ બાળકો જાન્યુઆરી ૨૦૨૦ અને મે ૨૦૨૧ વચ્ચેની લડાઈમાં માર્યા ગયા છે. ઈરાન સમર્થિત બળવાખોરો યુવાનોને લડવા માટે પ્રોત્સાહિત કરવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ એક નવા રિપોર્ટમાં આ માહિતી આપી છે. 

પ્રસારિત યુએન સિક્યુરિટી કાઉન્સિલની ચાર સભ્યોની સમિતિના અહેવાલમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેઓએ મસ્જિદમાં શાળાઓ અને કેટલાકી શિબિરોની તપાસ કરી હતી જ્યાં હુથી બળવાખોરો તેમની વિચારધારા ફેલાવે છે. આ સાથે તેણે યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર સાથે સાત વર્ષના યુદ્ધમાં બાળકોની ભરતી અંગે પૂછપરછ કરી છે. 

બજેટ સત્ર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રજૂ કર્યું મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ, ગણાવી આ ઉપલબ્ધિઓ 

સમિતિએ કહ્યું કે તેને ૨૦૨૦માં લડાઈમાં મૃત્યુ પામેલા હુથી બળવાખોરો દ્વારા ભરતી કરાયેલા ૧,૪૦૬ બાળકોની સૂચિ પ્રાપ્ત થઈ છે. આ સિવાય ૫૬૨ બાળકોની બીજી યાદી મળી છે, જેઓ જાન્યુઆરી અને મે ૨૦૨૧ વચ્ચે મૃત્યુ પામ્યા હતા. થોડા દિવસો પહેલા અબુ ધાબીમાં યમનના હુથી બળવાખોરોએ શંકાસ્પદ ડ્રોન હુમલો કર્યો હતો. આ વિસ્ફોટક હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. ઔદ્યોગિક શહેર અબુ ધાબીમાં છડ્ઢર્દ્ગંઝ્રની સ્ટોરેજ ટેન્ક પાસે ત્રણ પેટ્રોલિયમ ટ્રાન્સપોર્ટ ટેન્કરમાં આગ લાગતાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું હતું. જ્યારે અન્ય છ ઘાયલ થયા હતા. 

હુથી ચળવળને સત્તાવાર રીતે અંસાર અલ્લાહ કહેવામાં આવે છે. બોલચાલની રીતે હુથિઓ એ ઈસ્લામિક રાજકીય અને સશસ્ત્ર ચળવળ છે જે ૧૯૯૦ના દાયકામાં ઉત્તરીય યમનના સાદામાંથી ઉભરી આવી હતી. હુથી ચળવળ એ મુખ્યત્વે ઝૈદી શિયા બળ છે, જેનું નેતૃત્વ મોટે ભાગે હુથી આદિજાતિ દ્વારા કરવામાં આવે છે. તે યમનના ઉત્તરીય ક્ષેત્રમાં શિયા મુસ્લિમોનું સૌથી મોટું આદિવાસી સંગઠન છે. હુથી ઉત્તર યમનમાં સુન્ની ઇસ્લામની સલાફી વિચારધારાના વિસ્તરણનો વિરોધ કરે છે.

હુથીઓનો યમનના સુન્ની મુસ્લિમો સાથે ખરાબ સંબંધોનો ઇતિહાસ છે. આ ચળવળ સુન્નીઓ સાથે ભેદભાવ કરતી હતી. પરંતુ સાથે સાથે તેઓની ભરતી પણ કરી છે અને તેમની સાથે ગઠબંધન પણ કર્યું છે. હુસૈન બદ્રેદ્દીન અલ-હૌતીની આગેવાની હેઠળ, જૂથ યમનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહના વિરોધ તરીકે ઉભરી આવ્યું હતું, જેમના પર તેઓએ વ્યાપક નાણાકીય ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો અને સાઉદી અરેબિયા અને યુએસ દ્વારા સમર્થિત હોવા બદલ ટીકા કરી હતી.

૨૦૦૦ના દાયકામાં બળવાખોર દળ બન્યા પછી હુથિઓએ ૨૦૦૪થી ૨૦૧૦ સુધી યમનના રાષ્ટ્રપતિ સાલેહના દળો સાથે છ વખત લડ્યા. વર્ષ ૨૦૧૧માં આરબ દેશોના હસ્તક્ષેપ બાદ આ યુદ્ધ શાંત થયું હતું. જો કે દેશના લોકોના દેખાવોના કારણે સરમુખત્યાર સાલેહને પદ છોડવું પડ્યું હતું. આ પછી અબ્દરબ્બુ મન્સૂર હાદી યમનના નવા રાષ્ટ્રપતિ બન્યા. અપેક્ષાઓ હોવા છતાં હુથીઓ તેમનાથી ખુશ ન હતા અને ફરીથી બળવો છોડી દીધો અને રાજધાની સના પર કબજો કર્યો, તેમને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કર્યા. 

દસમા અને બારમાના બોર્ડની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રના એજ્યુકેશન મિનિસ્ટરે કહી દીધી મોટી વાત. જાણો વિગત

એવું કહેવાય છે કે જ્યારે હુથીઓએ યમનની સત્તા પર કબજો જમાવ્યો ત્યારે પાડોશી દેશોના સુન્ની મુસ્લિમોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. સુન્ની પ્રભુત્વ ધરાવતું સાઉદી અરેબિયા અને યુએઈ તેનાથી ગભરાઈ ગયા હતા. જે બાદ તે મદદ માટે અમેરિકા અને બ્રિટન પહોંચ્યો હતો. પશ્ચિમી દેશોની મદદથી હુથીઓ સામે હવાઈ અને જમીની હુમલા શરૂ કર્યા અને આ દેશોએ સત્તા પરથી હટાવવામાં આવેલા હાદીને ટેકો આપ્યો. આની અસર એ છે કે, યમન ગૃહયુદ્ધનું ક્ષેત્ર બની ગયું છે. 

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version