Site icon News Continuous Bureau | Mumbai

India Pakistan: ભારત-પાક સીઝફાયરનો ‘ખોટો’ શ્રેય લેવા ચીન પણ મેદાનમાં: ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ચીની વિદેશ મંત્રીનો દાવો, ભારતે મધ્યસ્થતાની વાત ફગાવી.

‘ઓપરેશન સિંદૂર’ બાદ DGMO સ્તરની વાતચીતથી અટક્યું હતું યુદ્ધ; ચીન અને અમેરિકા વચ્ચે ક્રેડિટ લેવાની હોડ, ભારતે કહ્યું- ‘ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી’.

India Pakistan ભારત-પાક સીઝફાયરનો ‘ખોટો’ શ્રેય લેવા ચીન પણ મેદા

India Pakistan ભારત-પાક સીઝફાયરનો ‘ખોટો’ શ્રેય લેવા ચીન પણ મેદા

News Continuous Bureau | Mumbai

India Pakistan જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરી પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ભારત પર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા હતા. આ ગંભીર સ્થિતિ બાદ જ્યારે સીઝફાયર થયું, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો કે તેમણે આ યુદ્ધ અટકાવ્યું છે. હવે આ જ લાઈનમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ પણ દાવો કર્યો છે કે ચીનની ‘મધ્યસ્થતા’ ને કારણે ભારત-પાક વચ્ચે તણાવ ઓછો થયો છે. ભારતે આ બંને દેશોના દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય બંને દેશોના સૈન્ય અધિકારીઓની સીધી વાતચીતનું પરિણામ હતું.

Join Our WhatsApp Channel

ચીનનો દાવો અને બેવડું વલણ

બેઈજિંગમાં આયોજિત એક સેમિનારમાં વાંગ યી એ કહ્યું કે ચીને ઈરાન, મ્યાનમાર અને પેલેસ્ટાઈન જેવા દેશોની સાથે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં પણ મધ્યસ્થતા કરી છે. જોકે, ભારત અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ચીનના આ દાવાને શંકાની નજરે જુએ છે, કારણ કે આ સંઘર્ષ દરમિયાન ચીને પાકિસ્તાનને છૂપી રીતે સૈન્ય સહાય પૂરી પાડી હોવાના અહેવાલો હતા. એક તરફ પાકિસ્તાનને મદદ કરવી અને બીજી તરફ મધ્યસ્થતાનો દાવો કરવો એ ચીનનું બેવડું વલણ છતું કરે છે.

ભારતની સ્પષ્ટતા: DGMO સ્તરે વાતચીત

ભારત સરકાર અને સેનાએ સ્પષ્ટ કર્યું છે કે 7 થી 10 મે દરમિયાન થયેલા સંઘર્ષનો ઉકેલ કોઈ દેશની દખલગીરીથી નહીં, પરંતુ બંને દેશોના મિલિટરી ઓપરેશન્સ ડાયરેક્ટર જનરલ (DGMO) વચ્ચેની સીધી હોટલાઈન વાતચીતથી આવ્યો હતો. પાકિસ્તાનની પહેલ પર આ વાતચીત થઈ હતી અને યુદ્ધવિરામ પર સહમતી બની હતી. ભારતે હંમેશા સ્ટેન્ડ રાખ્યું છે કે કાશ્મીર કે પાકિસ્તાન સાથે જોડાયેલા કોઈપણ મુદ્દામાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.

આ સમાચાર પણ વાંચો : India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026માં જંગની આશંકા: અમેરિકન થિંક ટેન્ક CFR નો મોટો દાવો, કાશ્મીરમાં આતંકવાદ બની શકે છે કારણ.

ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનની હાર

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોના ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. ભારતની આક્રમક નીતિને કારણે જ પાકિસ્તાન વાતચીતની ટેબલ પર આવવા મજબૂર થયું હતું, જેનો શ્રેય હવે ટ્રમ્પ અને ચીન પોતપોતાની રીતે લેવાની કોશિશ કરી રહ્યા છે.

 

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version