Site icon News Continuous Bureau | Mumbai

ભારત-ચીન ગલવાન સંઘર્ષ : ડ્રેગને આખરે પાંચ મહિના બાદ બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો 

ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા.

આ જંગમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા પણ ચીને પોતાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે તે જાહેર કર્યું નહોતું. 

Join Our WhatsApp Community

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ચીને સ્વીકાર્યુ હતુ કે, ગલવાનમાં અમારા 4 સૈનિકો માર્યા ગયા હતા.

હવે આ આંકડામાં ચીને પાંચ મહિના બાદ ફરી ફેરફાર કર્યો છે. ચીન નુ કહેવુ છે કે, ગલવાન હિંસામાં અમારા ચાર નહીં પણ પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

ચીનના સરકારી અખબારે કહ્યુ છે કે, 33 વર્ષના બટાલિયન કમાન્ડર ચેન હોંગજૂને પણ સીમા પર ફરજ બજાવતી વખતે જીવ ગુમાવ્યો હતો. મરનારા પાંચ સૈનિક શિજિયાંગ મિલટ્રી કમાન્ડના હતા.

જોકે ભારતીય સેના પહેલેથી જ માની રહી છે કે, આ સંઘર્ષ દરમિયાન મોતને ભેટેલા ચીની સૈનિકોની સંખ્યા અનેક ગણી વધારે છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ

Legal Clash Over Hormuz: હોર્મુઝની ખાડીમાં અમેરિકા-ઈરાન વચ્ચે કાયદાકીય જંગ: મધદરિયે નિયમોની લડાઈમાં તેલ પુરવઠો જોખમમાં, વૈશ્વિક બજારમાં ફફડાટ!
Middle East Crisis: મધ્ય પૂર્વમાં ચીનનો માસ્ટરપ્લાન: શી જિનપિંગે રજૂ કર્યો 4 મુદ્દાનો ‘શાંતિ પ્રસ્તાવ’, અમેરિકાના વર્ચસ્વને આપી ખુલ્લી ચેતવણી!
Iran-US War: ઈરાન-અમેરિકા સંકટ વચ્ચે ભારત બન્યું ‘શાંતિ દૂત’: સર્જિયો ગોરના નિવેદનથી વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો
Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
Exit mobile version