Site icon

Chinmoy Das Bail Plea: બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બેકાબુ, ચિન્મય દાસની સુનાવણી પહેલા વકીલ પર થયો હુમલો; ICUમાં દાખલ..

Chinmoy Das Bail Plea: બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલ હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના કેસમાં બચાવ કરી રહેલા વકીલ રમણ રોય પર જીવલેણ હુમલો થયો છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.

News Continuous Bureau | Mumbai

Chinmoy Das Bail Plea: હાલમાં ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં તેમની મુક્તિની માંગ ઉઠી રહી છે. તેમના જામીન અંગેની સુનાવણી આજે 3જી ડિસેમ્બરે હાથ ધરાશે. દરમિયાન,  બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલ હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના કેસમાં બચાવ કરી રહેલા વકીલ રમણ રોય પર જીવલેણ હુમલો થયો છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

Join Our WhatsApp Community

Chinmoy Das Bail Plea: વકીલના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો 

ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.  ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે રોયની એક માત્ર ભૂલ એ હતી કે તેણે ચિન્મય પ્રભુને કાનૂની બચાવ પૂરો પાડ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ રોયના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રોય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ આઈસીયુમાં દાખલ છે. આ સાથે તેણે ICUમાં દાખલ વકીલની તસવીર પણ પોસ્ટ કરી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રાધારમ દાસે કહ્યું, વકીલ રોય પરનો આ હુમલો ચિન્મય કૃષ્ણ પ્રભુના કાયદાકીય બચાવનું પરિણામ છે. આનાથી બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના અધિકારોની રક્ષા કરનારાઓ માટે ખતરો વધી રહ્યો છે. બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોટના પ્રવક્તા તરીકે ફરજ બજાવતા પ્રભુ ચિન્મય કૃષ્ણને સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક રેલીમાં ભાગ લેવા માટે ચટ્ટોગ્રામ જઈ રહ્યા હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને મંગળવારે જેલમાં મોકલી આપ્યો હતો.

Chinmoy Das Bail Plea:  આજે સુનાવણી થશે

આ ઘટના એવા સમયે બની છે જ્યારે 3 ડિસેમ્બર, મંગળવારે એટલે કે આજે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી થવાની છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલાઓ સામે અવાજ ઉઠાવનાર ચિન્મય કૃષ્ણ દાસની ગયા અઠવાડિયે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક રેલીમાં ભાગ લેવા માટે ચટગાંવ જઈ રહ્યા હતા. તેમની સામે દેશદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ભારતે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : PM મોદી આજે લેશે ચંદીગઢની મુલાકાત, આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને કરશે સમર્પિત

 Chinmoy Das Bail Plea:  બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલામાં વધારો

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પતન બાદ વચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર મુહમ્મદ યુનુસના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલામાં વધારો થયો છે. જો કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા બાદ, ભારતે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક માધ્યમો દ્વારા વિનંતી કરી છે.

Balochistan Terror Attack: બલૂચિસ્તાનમાં આતંકી હુમલામાં 50 ના મોત, BLA એ હુમલામાં સામેલ બે મહિલા આત્મઘાતી હુમલાખોરોની તસવીરો કરી વાયરલ
India GDP Growth 2026: ભારતની આર્થિક તાકાતનો ડંકો: GDP ગ્રોથમાં અમેરિકાને પછાડ્યું, એલોન મસ્કે કહી આવી વાત
IND vs PAK: પાકિસ્તાનના નિર્ણય પર ICC લાલચોળ! ભારત સામેના મેચનો બહિષ્કાર કરવા બદલ થઈ શકે છે મોટી કાર્યવાહી
CII Budget Summit 2026: ઉદ્યોગ સાહસિક સુધીર મુતાલીકના મતે બજેટ ‘ભવિષ્યલક્ષી’; MSME અને ટેકનોલોજી સેક્ટર માટે મોટી જાહેરાતો
Exit mobile version