Site icon News Continuous Bureau | Mumbai

ભારતે અમેરિકાનો મોટો સાથ આપ્યો- ના નામે અમેરિકી યુદ્ધ જહાજ ભારતમાં પ્રવેશ્યું- નજર તાઈવાન પર

News Continuous Bureau | Mumbai

ભારત(India) અને યુએસ(US) વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવા વિશ્વાસનો ઉમેરો થયો છે. અમેરિકા નૌકાદળ(US Navy)નું જહાજ(ship) યુએસએનએસ ચાર્લ્સ ડ્રૂ’ સમારકામ(Repair) માટે ભારત આવ્યું છે. અમેરિકન નૌકાદળનું કોઈ જહાજ સમારકામ સેવા કરાવવા માટે ભારત આવે એવું ઈતિહાસમાં પહેલી જ વાર બન્યું છે. સંરક્ષણ મંત્રાલયે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે આ બાબતને મોટું પ્રોત્સાહન ગણાવ્યું છે.  આ જહાજ ચેન્નાઈ(Chennai)ના કટ્ટુપલ્લી શિપયાર્ડ(Kattupalli Shipyard) ખાતે આવી પહોંચ્યું છે.

Join Our WhatsApp Channel

યૂએસ નેવી(US Navy)એ તેના આ જહાજના સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ(contract) લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીના જહાજવાડાને આપ્યો છે. અમેરિકાનો આ નિર્ણય વૈશ્વિક જહાજ સમારકામ માર્કેટમાં ભારતીય શિપયાર્ડ(Indian Shipyard)ની ક્ષમતાનું દ્યોતક છે. આ જહાજ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં 11 દિવસ સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો : આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર

ઉલ્લેખનીય છે કે ભારત(India)માં છ મોટા જહાજવાડા છે, જેમનું કુલ ટર્નઓવર આશરે બે અબજ ડોલર થાય છે. આ શિપયાર્ડ ભારત માટે અત્યાધુનિક જહાજો બનાવે છે અને દેશ-વિદેશના જહાજોને રીપેર પણ કરે છે.

Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Middle East Conflict Impact। ઈરાનયુદ્ધનો આર્થિક માર ભારત અને ચીનના વિકાસના અનુમાનમાં મોટો ઘટાડો, જાણો શું છે કારણ
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
USIran Talks| શાંતિ વાટાઘાટો માટે ફરી સક્રિય ઈરાનયુએસ ઈસ્લામાબાદમાં યોજાશે નવી બેઠક, ખામૈનીનો મોટો નિર્ણય.
Exit mobile version