Site icon News Continuous Bureau | Mumbai

Pakistan : પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફની પરત ફરવાની તારીખ નક્કી, ભાઈ શાહબાઝે આપી આ માહિતી

Pakistan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તેમના દેશ પરત ફરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ માહિતી આપતાં નવાઝના ભાઈ શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેમના ભાઈ નવાઝ શરીફ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરવાના છે. તેમણે કહ્યું કે, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) સુધારા કેસ પર સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને ભૂતપૂર્વ વડાપ્રધાનની બાબતો સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ ટૂંક સમયમાં તેમના દેશ પરત ફરશે.

Former PM of Pakistan Nawaz Sharif's return date fixed, Bhai Shahbaz gave this information

Former PM of Pakistan Nawaz Sharif's return date fixed, Bhai Shahbaz gave this information

News Continuous Bureau | Mumbai 

Pakistan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની(Nawaz Sharif) તેમના દેશ પરત ફરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ માહિતી આપતાં નવાઝના ભાઈ શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેમના ભાઈ નવાઝ શરીફ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરવાના છે. તેમણે કહ્યું કે, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) સુધારા કેસ પર સુપ્રીમ કોર્ટના(Supreme court) તાજેતરના નિર્ણયને ભૂતપૂર્વ વડાપ્રધાનની બાબતો સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ ટૂંક સમયમાં તેમના દેશ પરત ફરશે.

Join Our WhatsApp Channel

શાહબાઝે કહ્યું- નવાઝ શરીફ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ ખોટા 

નવાઝ શરીફ, સુલેમાન શરીફ અને વકીલો આઝમ નઝીર તરાર, અમજદ પરવેઝ અને અતાઉલ્લાહ તરાર હાજર રહ્યા હતા ત્યારે શાહબાઝ શરીફે આ ટિપ્પણી કરી હતી. પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, શાહબાઝે કહ્યું કે નવાઝ શરીફ વિરુદ્ધના તમામ કેસ ખોટા અને રાજનીતિથી પ્રેરિત છે. શાહબાઝે કહ્યું કે નવાઝ શરીફ વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં કોઈ કાનૂની તથ્ય નથી અને તે પાયાવિહોણા છે. શાહબાઝે વધુમાં કહ્યું કે, નવાઝ હવે 21 ઓક્ટોબરે પાકિસ્તાન આવશે.

આ સમાચાર પણ વાંચો :  Kim Jong Un : પહેલા શસ્ત્રો જોયા, હવે રશિયાના સંરક્ષણ મંત્રીને મળ્યા, રશિયામાં કિમ જોંગ ઉનનો શું છે પ્લાન?

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની ટીકા કરી

આ સાથે શાહબાઝ શરીફે પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ ઓમર અતા બંદિયાલની પણ ટીકા કરી હતી. શરીફે કહ્યું કે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ હંમેશા વિવાદાસ્પદ અને રાજકીય નિર્ણયો લેતા હતા, જેનો ફાયદો પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ઈમરાન ખાનને મદદ કરવા માટે બંદિયાલે પોતાની હદ વટાવી દીધી હતી.

IndiaBangladesh Tourism ભારતનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ
Meta vs US Govt on AI Models મેટાના અત્યાધુનિક AI મોડલ્સ પર અમેરિકાની નજર, સરકાર સમક્ષ ટેકનોલોજી સોંપવા દબાણ
OPEC and Iraq ઓપેક (OPEC) માં મોટું ભંગાણ, ઈરાક સંસ્થામાંથી બહાર નીકળવાની તૈયારીમાં
Henley Passport Index Ranking દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર, સિંગાપોર ફરી નંબર વન
Exit mobile version