Site icon

દેવાળિયું થયું ત્યારે પાકિસ્તાનને યાદ આવી ગયું ભારત, લોકોએ કહ્યું- અમને ઈમરાન, શાહબાઝ નહીં, પણ મોદી જોઈએ છે.. જુઓ વિડીયો..

Hamein sirf Modi chahiye Pakistan man wants PM Modi to fix country. Watch 

સુપ્રીમ કોર્ટે અદાણી કેસમાં મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, કહી દીધી આવડી મોટી વાત.

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચે પહોંચી ગઈ છે. લોટ, દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે, દેશ નાદારીની આરે છે. સંકટમાંથી બહાર આવવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોનની રાહ જોઈ રહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફને હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં, ત્યાંના લોકોનો પણ તેમની સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

Join Our WhatsApp Community

દરમિયાન પાકિસ્તાનની જનતાને લાગે છે કે જો કોઈ તેમના દેશને ગરીબીથી બચાવી શકે છે તો તે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વાસ્તવમાં, એક પાકિસ્તાની નાગરિકનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કોઈપણ સંકોચ વિના પાકિસ્તાન સરકારની ટીકા કરતો જોવા મળ્યો મળી રહ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.

આ સમાચાર પણ વાંચો :   ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

આ વ્યક્તિએ આગળ કહ્યું, ‘ PM મોદી અમારા કરતાં સારા છે. ભારતના લોકો તેમનું સન્માન કરે છે, તેમને ફોલો કરે છે. જો અમારી પાસે PM નરેન્દ્ર મોદી હોત તો અમારે નવાઝ શરીફ, બેનઝીર કે ઈમરાન કે જનરલ પરવેઝ મુશર્રફની જરૂર ન પડત. અમને તો બસ પીએમ મોદીની જરૂર છે. માત્ર તેઓ જ આ દેશનાં તોફાની તત્ત્વોને જવાબ આપી શકે છે.

Middle East Escalation:ટ્રમ્પની શાંતિ અપીલના ઉડ્યા ધજાગરા! ઈરાનનો ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો; કુવૈતમાં ડ્રોનથી આતંક અને વાયુ સેના હાઈ-એલર્ટ.
Middle East War Escalates:શું હવે શરૂ થશે ‘મહાજંગ’? ઈરાન વિરુદ્ધ સાઉદી અરેબિયા અને UAE મેદાને; મધ્ય પૂર્વના દેશોના આકરા તેવરથી દુનિયા સ્તબ્ધ
Netanyahu’s Stern Warning: અમે અટકીશું નહીં, હુમલા ચાલુ રહેશે!’: ટ્રમ્પ સાથેની વાતચીત બાદ નેતન્યાહૂ લાલચોળ; ૨ વૈજ્ઞાનિકોની હત્યાની કબૂલાત સાથે ઈરાનને ખુલ્લી ધમકી.
Colombia Plane Crash: એમેઝોનમાં સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ૬૬ જવાનોના મોતથી ખળભળાટ, જાણો કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?
Exit mobile version