Site icon News Continuous Bureau | Mumbai

Hindu Temple: અયોધ્યામાં રામ મંદિરની તર્જ પર અબુધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરની તૈયારીઓ પુરજોશમાં.. પીએમ મોદી આ તારીખ કરશે ઉદ્ઘાટન.

Hindu Temple: 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વની નજર રામ મંદિરના ઉદ્ઘાટન પર ટકેલી છે.. જો કે, સંયુક્ત આરબ અમીરાત (UAE) હાલ 14 ફેબ્રુઆરીની તૈયારીમાં વ્યસ્ત છે.

Hindu Temple Preparations for the first Hindu temple to be built in Abu Dhabi are in full swing.. PM Modi will inaugurate on this date

Hindu Temple Preparations for the first Hindu temple to be built in Abu Dhabi are in full swing.. PM Modi will inaugurate on this date

News Continuous Bureau | Mumbai 

Hindu Temple:  અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વની નજર રામ મંદિરના ( Ram Mandir ) ઉદ્ઘાટન પર ટકેલી છે.. દરમિયાન, સંયુક્ત આરબ અમીરાત ( UAE ) હાલ 14 ફેબ્રુઆરીની તૈયારીમાં વ્યસ્ત છે. 

Join Our WhatsApp Channel

નોંધનીય છે કે, UAEની રાજધાની અબુ ધાબીમાં ( Abu Dhabi ) પહેલું હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) દ્વારા આ મંદિરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. અબુ ધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનાવનાર સંસ્થા BAPS સ્વામિનારાયણે ( BAPS Swaminarayan ) PM મોદીને ઉદ્ઘાટન સમારોહ ( Opening ceremony ) માટે આમંત્રણ પણ આપ્યું હતું, જેનો વડાપ્રધાને સ્વીકાર કર્યો છે.

અબુ ધાબીનું પહેલું હિન્દુ મંદિર…

પ્રાપ્ત માહિતી મુજબ, અબુ ધાબીનું આ પહેલું હિન્દુ મંદિર છે, જે 14 ફેબ્રુઆરીએ ખુલવા જઈ રહ્યું છે, જે અલ વકબા સ્થળ પર 20,000 ચોરસ મીટરની જમીન પર બનેલું છે. આ મંદિરને ખૂબ જ આધુનિક શૈલીમાં બનાવવામાં આવ્યું છે. પ્રાચીન કલા અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી બનેલા આ મંદિરનું કોતરકામ અજોડ છે. મંદિર શાહી, પરંપરાગત હાથથી કોતરેલા પથ્થરોથી બનેલું છે.

આ સમાચાર પણ વાંચો :  Indo-Canadian Arrested: કેનેડામાં ભારતીય મૂળનો વ્યક્તિ આટલા કિલો કોકેઈન સાથે ઝડપાયો.. પોલીસ તપાસ ચાલુ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આવી સ્થિતિમાં ઉદ્ઘાટન પહેલા અયોધ્યાની તર્જ પર આબુ ધાબીમાં પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અબુધાબીમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં ભારતના લોકો પણ ભાગ લેશે. ભારત અને UAE વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરવામાં આ મંદિર ખૂબ જ અસરકારક સાબિત થશે. એક રિપોર્ટ અનુસાર, આબુ ધાબીના આ ઈવેન્ટમાં 55 દેશોમાં રહેતા NRIને જોડવાનો મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version