Site icon News Continuous Bureau | Mumbai

Israel Hamas War: ઈઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે હવે ઈઝરાયના પીએમ નેતન્યાનુ આ કારણે પોતાના જ દેશમાં ઘેરાયા.. નેતન્યાહુ સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો.

Israel Hamas War: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે એક તરફ યુદ્ધ ચાલુ છે. ત્યારે હવે ઈઝરાયેલમાં ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેથી નેતન્યાહુ સરકારની મુશ્કેલીમાં હજી વધારો થયો છે.

In the midst of the Israel Hamas war, now Israel's PM Netanyahu is surrounded in his own country.. problems of the Netanyahu government have increased.

In the midst of the Israel Hamas war, now Israel's PM Netanyahu is surrounded in his own country.. problems of the Netanyahu government have increased.

News Continuous Bureau | Mumbai

Israel Hamas War: હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ( Benjamin Netanyahu ) પોતાના જ દેશમાં ઘેરાય ગયા છે. જેમાં રાજધાની તેલ અવીવમાં ( Tel Aviv ) શુક્રવારે રાત્રે હજારો લોકોએ નેતન્યાહુ સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. વિરોધીઓએ ઈઝરાયેલમાં તાત્કાલિક ચૂંટણીની માંગ કરી હતી અને કહ્યું હતું કે સરકાર માત્ર પોતાના ફાયદા માટે કામ કરી રહી છે. આ સમય દરમિયાન કેટલાક વિરોધીઓએ આગચંપી પણ શરૂ કરી દીધી હતી, જ્યારે અન્ય વિરોધીઓ દેશભક્તિના ગીતો ગાતા પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, આ દેખાવો એક જગ્યાએ થયા ન હતા પરંતુ શહેરના અન્ય ભાગોમાં પણ થયા હતા. અન્યત્ર યોજાયેલા વિરોધ દરમિયાન, લોકોએ હમાસ ( Hamas ) દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવા માટે સરકારને વધુ પ્રયાસ કરવાની માંગ કરી હતી અને ‘બંધકોને ઘરે લાવો’ જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

 જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે. ત્યાં સુધી યુદ્ધવિરામ ( ceasefire ) ઉઠાવવામાં આવશે નહીંઃ નેતન્યાહુ…

એક અહેવાલ મુજબ, હમાસ સાથે યુદ્ધવિરામ માટે સરકાર પર દબાણ લાવવા ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં પણ પ્રદર્શનકારીઓ ( Protestors )  સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હમાસ એપિસોડને લઈને ઈઝરાયેલના એક વર્ગમાં ઘણો અસંતોષ છે અને લોકો આ બધી ગડબડ માટે વડાપ્રધાન નેતન્યાહુને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Caste Census: લોકસભા ચૂંટણી પહેલાં હવે આ રાજ્યમાં થશે જાતિ ગણતરી, રાજ્યના સીએમએ આપ્યા નિર્દેશ.

નોંધનીય છે કે, નેતન્યાહૂએ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે. ત્યાં સુધી યુદ્ધવિરામ ઉઠાવવામાં આવશે નહીં. ઈઝરાયેલ તેના હુમલા ચાલુ જ રાખશે. કારણ કે તે હમાસ સમક્ષ ઘૂંટણિયે પડવા જેવું હશે.પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હવાઈ અને જમીની હુમલાઓએ ગાઝાના મોટાભાગના ભાગોને નષ્ટ કરી દીધા છે, જેમાં મોટાભાગના નાગરિકો સહિત 28,775 લોકો માર્યા ગયા છે.

ઇઝરાયેલના ડેટા અનુસાર, 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ( Hamas attack ) લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા. હમાસના આતંકવાદીઓએ 253 બંધકોને પણ કબજે કર્યા હતા, જોકે તેમાંથી 100 થી વધુને નવેમ્બરના અંતમાં યુદ્ધવિરામ દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા.

Europe Wildfires Emergency યુરોપિયન દેશોમાં જંગલો સળગી ઉઠતા ૩ લાખથી વધુ નાગરિકો ઘરવિહોણા, સ્પેનમાં કટોકટી જાહેર.
Middle East Indian Deaths ખાડીના દેશોમાંથી ચોંકાવનારા આંકડા છેલ્લા 3 વર્ષમાં અકુદરતી સંજોગોમાં ૮૦૦થી વધુ ભારતીયોના મૃત્યુ.
Indian Death on Ship જહાજ પર ભારતીય નાગરિકના મૃત્યુથી સરકાર એક્શનમાં, યુક્રેનના રાજદૂતને પાઠવ્યું સમન્સ; કરી તપાસની માંગ..
Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
Exit mobile version