Site icon News Continuous Bureau | Mumbai

India America Trade Talks : ભારત-અમેરિકા વેપાર મંત્રણામાં ડેરી વિવાદનું કેન્દ્ર બની, ભારતે કહ્યું – ‘આ’ ગાયનું દૂધ સ્વીકાર્ય નથી; જાણો કારણ..

India America Trade Talks : ધાર્મિક સંવેદનશીલતાઓને કારણે ભારત અમેરિકાથી પશુજન્ય આહાર ખાતી ગાયોના દૂધની આયાતનો વિરોધ કરે છે

India-US trade Non-veg milk a red line in India-US trade talks. Here's why

India-US trade Non-veg milk a red line in India-US trade talks. Here's why

News Continuous Bureau | Mumbai

India America Trade Talks : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ડેરી ઉત્પાદનોનો મુદ્દો એક મુખ્ય અવરોધ બની ગયો છે. ભારત એવી શરત મૂકી રહ્યું છે કે અમેરિકાથી આયાત થતા દૂધ અને ડેરી ઉત્પાદનો એવી ગાયોના ન હોવા જોઈએ જેને માંસ, લોહી કે અન્ય પશુજન્ય પ્રોડક્ટ્સ ખવડાવવામાં આવ્યા હોય. ભારતીય સંસ્કૃતિમાં દૂધની પવિત્રતાને કારણે આ મુદ્દો ભારત માટે એક “રેડ-લાઇન” સમાન છે.

Join Our WhatsApp Channel

India America Trade Talks : ભારત-અમેરિકા વેપાર ડીલમાં “માંસાહારી દૂધ” એક ‘લાલ રેખા’

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં ડેરી બજાર ખોલવાનો મુદ્દો એક મોટો અવરોધ બની ગયો છે. અમેરિકા ભારતના ડેરી બજારમાં પ્રવેશ મેળવવા માંગે છે, પરંતુ ભારત આ માટે  તૈયાર નથી. ભારતની મુખ્ય માંગ છે કે કડક પ્રમાણપત્ર હોવું જોઈએ જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે અમેરિકાથી એવું દૂધ ભારતમાં ન આવે જે પશુઓને માંસ, લોહી અથવા અન્ય પશુજન્ય ઉત્પાદનો ખવડાવીને મેળવવામાં આવ્યું હોય. ભારતમાં દૂધ અને તેમાંથી બનતા ઉત્પાદનોનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ થાય છે, તેથી ભારત માટે આ એક “લાલ રેખા” સમાન છે જેને પાર કરી શકાતી નથી.

શું છે નોન-વેજ દૂધ?

મનુષ્યો મોટાભાગે ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ કરે છે. આ શાકાહારી પ્રાણીઓ છે, જે ઘાસ, અનાજ અને કઠોળ જેવા વનસ્પતિજન્ય પદાર્થો ખાય છે અને દૂધ આપે છે. ભારતીય પરંપરામાં દૂધને પવિત્ર માનવામાં આવે છે અને પૂજા તથા અન્ય પવિત્ર કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે.

India America Trade Talks : અમેરિકામાં ગાયોને કેવો આહાર અપાય છે અને તેનો પ્રભાવ

અમેરિકામાં દૂધ અને ગાયને લઈને ભારતીય પરંપરા જેવી માન્યતા નથી. ગાયો પાસેથી વધુ દૂધ મેળવવા માટે અમેરિકામાં તેમને માંસ ઉદ્યોગમાંથી નીકળતો કચરો ખવડાવવામાં આવે છે. તેમને ચારામાં લોહી અને માંસ સુધી ભેળવીને ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો આહાર ખાતી ગાયોમાંથી મળતા દૂધને “નોન-વેજ દૂધ” કહેવામાં આવે છે.

GTRI (Global Trade Research Institute) ના અજય શ્રીવાસ્તવે મીડિયા ને આપેલા અહેવાલમાં જણાવ્યું, “કલ્પના કરો કે તમે એવી ગાયના દૂધમાંથી બનેલું માખણ ખાઈ રહ્યા છો જેને બીજી ગાયનું માંસ અને લોહી આપવામાં આવ્યું હોય. ભારત કદાચ ક્યારેય આની પરવાનગી નહીં આપે.

આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ક્યારે થશે? ચર્ચા કરવા માટે ભારતીય ટીમ અમેરિકા રવાના, શું આ વખતે સારા સમાચાર મળશે?

 મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગાયોને એવો ચારો ખવડાવવામાં આવે છે જેમાં ડુક્કર, માછલી, મરઘી, ઘોડા, અને ક્યારેક તો બિલાડી કે કૂતરાના અંગો પણ શામેલ હોઈ શકે છે. ગાયોને પ્રોટીન માટે ડુક્કર અને ઘોડાનું લોહી આપવામાં આવે છે. તેમને ચરબી (ઢોરના અંગોમાંથી મેળવેલી કઠોર ચરબી) પણ આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, મરઘા ઉદ્યોગના કચરાનો પણ ગાયો માટે ઓછા ખર્ચે ચારા તરીકે ઉપયોગ થાય છે.

India America Trade Talks : ભારતમાં “નોન-વેજ દૂધ” પર પ્રતિબંધ અને વેપાર વાર્તાલાપ પર અસર

USRT (United States Trade Representative) ના NTE (National Trade Estimate) રિપોર્ટ અનુસાર, ભારતે પશુઓના માંસ અથવા લોહી જેવા પદાર્થો મિશ્રિત ચારો ખાતી ગાયોમાંથી બનેલા ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકેલો છે. એટલે આ મુદ્દો બંને દેશો વચ્ચેના વેપાર કરારમાં એક મુખ્ય અવરોધ બની ગયો છે. ભારત તેની ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને કારણે આ મુદ્દા પર સમાધાન કરવા તૈયાર નથી. ભારતીય ઉપભોક્તાઓ માટે દૂધની શુદ્ધતા અને શાકાહારનું પાલન અત્યંત મહત્વપૂર્ણ છે. આના કારણે, જો અમેરિકા ભારતીય ડેરી બજારમાં પ્રવેશ મેળવવા માંગતું હોય, તો તેને એવી ડેરી ઉત્પાદન પ્રથાઓ અપનાવવી પડશે જે ભારતીય ધોરણો અને ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત હોય. આ મુદ્દાનો ઉકેલ લાવ્યા વિના ભારત-અમેરિકા વેપાર કરાર આગળ વધે તે મુશ્કેલ છે.

 

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Exit mobile version