Site icon News Continuous Bureau | Mumbai

Canada Expels Indian Diplomat: ભારત-કેનેડા વચ્ચે સંબંધોમાં કડવાશ વધશે! આ ખાલિસ્તાનીની હત્યા મામલે ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા.. જાણો શું છે ગંભીર આરોપો..

Canada Expels Indian Diplomat: હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમને ખાલિસ્તાન તરફી શીખ્સ ફોર જસ્ટિસ એટલે કે SFJ નો મોટો ચહેરો માનવામાં આવતો હતો.

India may be involved in Nijjar's murder, alleges Justin Trudeau; expelled the diplomat

India may be involved in Nijjar's murder, alleges Justin Trudeau; expelled the diplomat

News Continuous Bureau | Mumbai 

Canada Expels Indian Diplomat: ભારત અને કેનેડા(Canada) વચ્ચેના સંબંધો વધુ બગડવાની શક્યતા છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની(Hardeep Singh Nijjar) હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે.ખાલિસ્તાન(Khalistan) સમર્થક નિજ્જરની 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હત્યા કેસની તપાસ વચ્ચે એક ભારતીય રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

Join Our WhatsApp Channel

ટ્રુડોએ કહ્યું, ‘કેનેડાએ ભારત સરકારના ટોચના ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ તેની ચિંતા વ્યક્ત કરી છે.’તેમણે કહ્યું કે આ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે .બંને નેતાઓ તાજેતરમાં જ ભારતની રાજધાની દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન મળ્યા હતા.ખાસ વાત એ છે કે ટ્રુડોના પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે તેઓ થોડા દિવસ ભારતમાં રોકાયા હતા.

SFJનો આરોપ છે કે

કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.તેમને ખાલિસ્તાન તરફી શીખ્સ ફોર જસ્ટિસ એટલે કે SFJ નો મોટો ચહેરો માનવામાં આવતો હતો.SFJએ ભારત સરકાર પર નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.આ અંગે પોસ્ટર ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Modi Cabinet Decisions: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય! મહિલા અનામત બિલને કેબિનેટની મંજૂરી, કોંગ્રેસનું પણ સમર્થન.. આજે નવી સંસદમાં રજૂ થઈ શકે છે

શું કાર્યવાહી કરવામાં આવી?

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જાહેરાત કરી છે કે તેમણે એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાના આદેશો જારી કર્યા છે.આ રાજદ્વારી ભારતની ગુપ્તચર એજન્સી RAW નો વડા રહી ચૂક્યો છે.

તેમણે કહ્યું, ‘જો આ સાચું સાબિત થાય છે, તો તે આપણી સાર્વભૌમત્વ અને નિયમોનું મોટું ઉલ્લંઘન હશે જે નક્કી કરે છે કે દેશો એકબીજા સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.’જોલીએ એમ પણ કહ્યું કે ટ્રુડોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સમક્ષ પણ આ મામલો ઉઠાવ્યો હતો.

સંબંધોમાં ખટાશ આવી રહી છે:

તાજેતરના કેટલાક વિકાસ પછી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે.ગયા અઠવાડિયે જ કેનેડાએ ભારત માટેનું ટ્રેડ મિશન મુલતવી રાખ્યું છે.ભારતે જૂનમાં ભારતીય હાઈ કમિશનની બહાર થયેલા પ્રદર્શનને ‘હુમલો’ ગણાવ્યો હતો.તેમજ પીએમ ટ્રુડો પર કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ સામે પગલાં ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Akali DalBJP Alliance આપ અને કોંગ્રેસ સામે લડવા માટે રણનીતિ, અકાલી દળ દ્વારા મોટી જાહેરાત બાદ રાજકીય ગરમાવો
US Iran War શું થવા જઈ રહી છે યુદ્ધની પૂર્ણાહુતિ? અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે જનરલ ડેન કેનની સિક્રેટ મીટિંગ
Muslim NATO plan Pakistan India war analysis જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શું તુર્કી અને સાઉદી અરેબિયા ભારત સામે લડશે? જાણો શું છે ‘મુસ્લિમ નાટો’ નું આખું પ્લાનિંગ
Mount Kailash mystery અધ્યાત્મ, પ્રતિબંધો કે કોઈ અદભુત શક્તિ? કૈલાશ પર્વતના રહસ્ય આગળ વિજ્ઞાન પણ છે લાચાર
Exit mobile version