Site icon

India Pakistan Conflict : ટ્રમ્પ કેમ ઘૂસ્યા ભારત-પાકિસ્તાન વચ્ચે? વિદેશ સચિવે કર્યો ખુલાસો

India Pakistan Conflict Trump Tried to Mediate India Pakistan Conflict MEA Reveals the Truth

India Pakistan Conflict Trump Tried to Mediate India Pakistan Conflict MEA Reveals the Truth

News Continuous Bureau | Mumbai

India Pakistan Conflict: વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ 19 મે 2025ના રોજ સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિ સમક્ષ પાકિસ્તાનની આતંકવાદમાં સંડોવણી અંગે ગંભીર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યું કે પહેલગામ હુમલાની યોજના પાકિસ્તાનમાંથી બની હતી અને આતંકીઓ સીધા ત્યાંના માસ્ટરમાઈન્ડ્સ સાથે સંપર્કમાં હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન આજે પણ આતંકીઓ માટે સુરક્ષિત આશરો છે.

 

India Pakistan Conflict: એવિડન્સ  આધારિત આરોપ: પાકિસ્તાન હજુ પણ આતંકનો આધારસ્થાન

મિસ્રીએ જણાવ્યું કે પાકિસ્તાનના આતંકી સંગઠનો, લશ્કરી ગુપ્તચર એજન્સીઓ અને નાગરિક તંત્ર વચ્ચે સ્પષ્ટ અને સંસ્થાગત જોડાણ છે. આ દાવા માત્ર વાતો પર નહીં, પરંતુ પક્કા પુરાવાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે યુએન દ્વારા ઘોષિત આતંકીઓ ખુલ્લેઆમ પાકિસ્તાનની જમીન પરથી કાર્યરત છે.

India Pakistan Conflict: ઓપરેશન સિંદૂર ભારતની જવાબી કાર્યવાહી પર સ્પષ્ટતા

વિદેશ સચિવે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર સંપૂર્ણપણે પરંપરાગત હતો અને તેમાં પાકિસ્તાનના કોઈ પણ ન્યુક્લિયર ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું નહોતું. ભારતે 6-7 મેના રોજ 9 આતંકી કેમ્પો પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ પાકિસ્તાનને જાણ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  India Pakistan Conflict: નહીં સુધરે આ લોકો… પોર્ટુગલમાં ભારતીય દૂતાવાસ બહાર પાકિસ્તાનીઓએ મચાવ્યો હંગામો, મળ્યો એવો જવાબ કે..

India Pakistan Conflict: ટ્રમ્પ માત્ર હેડલાઇન માટે ઘૂસ્યા હતા, કોઈ મધ્યસ્થતા નહોતી

મિસ્રીએ ટ્રમ્પના દાવાને નકારી કાઢતા કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિદેશી મધ્યસ્થતા નહોતી. ટ્રમ્પ માત્ર હેડલાઇનમાં આવવા માટે આ દાવો કર્યો હતો. સમિતિના અધ્યક્ષ શશિ થરૂર સહિત તમામ સભ્યોએ મિસ્રી અને તેમના પરિવાર સામેની ટ્રોલિંગની નિંદા કરી અને સર્વદલીય સમર્થન દર્શાવ્યું.

Exit mobile version