Site icon News Continuous Bureau | Mumbai

India Pakistan Relations ”પાણી રોકશો તો હાથ કાપી નાખીશું’… સિંધુ જળ વિવાદ પર પાકિસ્તાને ફરી બતાવ્યા તેવર

India Pakistan Relations પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર સ્થગિત કરતાં પાકિસ્તાન ધૂઆંપૂંઆ; ઇસ્લામાબાદમાં પાક મંત્રીએ આ મુદ્દાને વૈશ્વિક સ્તરે લઈ જવાનો કર્યો દાવો

India Pakistan Relations  ''પાણી રોકશો તો હાથ કાપી નાખીશું'... સિંધુ જળ વિવાદ પર પાકિસ્તાને ફરી બતાવ્યા તેવર

India Pakistan Relations ''પાણી રોકશો તો હાથ કાપી નાખીશું'... સિંધુ જળ વિવાદ પર પાકિસ્તાને ફરી બતાવ્યા તેવર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

India Pakistan Relations આતંકવાદને પોતાની નેશનલ પોલિસી (રાષ્ટ્રીય નીતિ) નો હિસ્સો બનાવનારા અને આતંકવાદીઓનું પાલનપોષણ કરનારા પડોશી દેશ પાકિસ્તાને ફરી એકવાર પોતાની ઔકાત કરતાં વધુ મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ‘લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં’. આ કડક વલણ અપનાવીને ભારતે પાકિસ્તાન સાથેની ઐતિહાસિક સિંધુ જળ સંધિને (Indus Waters Treaty IWT) સ્થગિત કરી દીધી છે. પાણીના એકએક ટીપા માટે તરસી રહેલા પાકિસ્તાને આનાથી ગભરાઈને ભારતને ગીધડભભકી આપી છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું છે કે, “જે કોઈ અમારા પાણી પર હાથ નાખશે, અમે તેના હાથ કાપી નાખીશું.”

India Pakistan Relations – કાશ્મીરની જેમ હવે સિંધુ જળ વિવાદને પણ આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની ફિરાકમાં પાકિસ્તાન

પાકિસ્તાની અખબાર ના અહેવાલ અનુસાર, પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિકે સોમવારે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન સિંધુ જળ સંધિના મુદ્દાને માત્ર બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય વિવાદ પૂરતો સીમિત રાખવા માંગતું નથી. કાશ્મીર મુદ્દાની જેમ જ પાકિસ્તાન આ જળ વિવાદમાં પણ ત્રીજા દેશો અથવા આંતરરાષ્ટ્રીય સંગઠનોને વચ્ચે લાવીને આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. મુસાદિક મલિકનો દાવો છે કે તેઓ સિંધુ જળ સંધિના મુદ્દાને ન્યાય, માનવતાના મૂળભૂત અધિકારો અને નદીના નીચલા પ્રવાહમાં આવેલા દેશોના પાણીના અધિકારની સુરક્ષા સાથે જોડીને એક વૈશ્વિક મામલા તરીકે વિશ્વ સમક્ષ રજૂ કરશે.

India Pakistan Relations – ઇસ્લામાબાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને પાક મંત્રીઓએ કર્યા ખોટા દાવા

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાર સાથે યોજેલી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) મંત્રી મલિકે જૂઠો દાવો કર્યો હતો કે પાકિસ્તાનના આ વલણને સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મંચો પર સમર્થન મળ્યું છે. ભારતના કડક આર્થિક અને ભૌગોલિક પગલાંથી અકળાયેલા પાકિસ્તાની મંત્રીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ વિક્ટિમ કાર્ડ ખેલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આતંકવાદના મુદ્દે ઘેરાયેલા પાકિસ્તાનની વાત સાંભળવા કોઈ દેશ તૈયાર નથી.

India Pakistan Relations – પાકિસ્તાનની ૫૦ ટકા વસ્તી ખેતી પર નિર્ભર, પાણી રોકાતા અર્થતંત્ર ભાંગી પડવાનો ડર

પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકે ભારત પર નિશાન સાધતા સિંધુ નદીને એક એવા નળ સાથે સરખાવી હતી, જેનું હેન્ડલ ભારતના વડાપ્રધાનના હાથમાં છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ભારત પાણી રોકી દેશે તો પાકિસ્તાન બરબાદ થઈ જશે. સત્તાવાર આંકડા અનુસાર, પાકિસ્તાનની આશરે ૪૦% થી ૫૦% વસ્તી રોજગાર માટે સીધી રીતે ખેતી (Agriculture) પર નિર્ભર છે, જે દેશના જીડીપીમાં ૨૦% થી ૨૫% નો ફાળો આપે છે. પાકિસ્તાનની ખાદ્ય સુરક્ષા સંપૂર્ણપણે સિંધુ નદીના પાણી પર ટકેલી છે. જો કે, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાકિસ્તાન પોતાની ધરતી પરથી ભારત વિરોધી આતંકવાદને રોકવા તૈયાર નથી, જેના કારણે ભારતે પાણી રોકવાનો કડક નિર્ણય લીધો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Weather મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ રસ્તાઓ પાણીપાણી, IMD દ્વારા ૬ જુલાઈ સુધી ભારે વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’

Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Indus Waters Treaty Threat સિંધુ જળ સંધિ વિવાદમાં પાકિસ્તાનનો બફાટ; શહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની આપી ચેતવણી
Trump Tariff war ચીન સામે ટ્રમ્પનું આક્રમક વલણ, આ વસ્તુ પર 100% ટેરિફ લાગુ કરવાનો નવો આદેશ
Exit mobile version