India Pakistan War :મોટા સમાચાર.. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો દાવો; કહ્યું- બંનેને આખી રાત સમજાવ્યા

India Pakistan War India Pakistan Ceasefire , India confirms ceasefire with Pakistan after Trump announcement

 News Continuous Bureau | Mumbai 

India Pakistan War : છેલ્લા કેટલાક દિવસોથી બે એશિયન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. 

India Pakistan War :અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે X પર પોસ્ટ શેર કરીને દાવો કર્યો છે કે અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી કે આ ઐતિહાસિક નિર્ણય બંને દેશો વચ્ચે લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. બંને દેશોને તેમના સંકલન અને દૂરંદેશી માટે અભિનંદન! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર 

India Pakistan War :ટ્રમ્પના દાવા પછી ભારત અને પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા

વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓને બપોરે 3.35 વાગ્યે ભારતના ડીજીએમઓ તરફથી ફોન આવ્યો હતો. આજે સાંજે 5 વાગ્યાથી બંને બાજુથી ગોળીબાર, લશ્કરી કાર્યવાહી, હવાઈ અને દરિયાઈ કામગીરી બંધ રહેશે. ડીજીએમઓ 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી ચર્ચા કરશે. તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના, પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

India Pakistan War  India Pakistan Ceasefire , India confirms ceasefire with Pakistan after Trump announcement

India Pakistan War :પહેલગામમાં હુમલામાં 26 ભારતીય પ્રવાસીઓના મોત

જણાવી દઈએ કે પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. 22 એપ્રિલના રોજ થયેલા હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. તે પૃષ્ઠભૂમિમાં, ભારતે કડક નીતિ અપનાવી હતી. ભારતે 7મી તારીખની રાત્રે હવાઈ હુમલા કરીને પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હુમલો કર્યો હતો જેમાં ટોચના આતંકીઓ ઠાર મરાયા હતા.

આ સમાચાર પણ વાંચો : India Pakistan tension: સરકારનો મોટો નિર્ણય… ભારત પર કોઈપણ આતંકવાદી હુમલો હવે ગણાશે ‘યુદ્ધ’, સેનાએ આપી દીધી મંજૂરી…

Exit mobile version