Site icon

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળી મોટી સફળતા, સલાહકાર સમિતિમાં ભારતીય રાજદ્વારીઓની પસંદગી થઈ…. જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020

સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતીય રાજદ્વારી વિદિશા મિત્રાને એડમિનિસ્ટ્રેટિવ અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સભ્ય બની ગયા છે. આ યુનાઇટેડ નેશન્સનો એક પેટા વિભાગ છે. એશિયા પેસિફિક રાષ્ટ્રોના જૂથમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિત્રાને 126 મતો મળ્યા હતા. મહત્વ પૂર્ણ છે કે જનરલ એસેમ્બલી એડવાઇઝરી કમિટી સભ્યોની નિમણૂક કરે છે. સભ્યોની પસંદગી ભૌગોલિક પ્રતિનિધિત્વ, વ્યક્તિગત લાયકાતો અને અનુભવના આધારે કરવામાં આવે છે. એશિયા-પેસિફિક દેશોના જૂથમાંથી નામાંકિત થયેલ બે ઉમેદવારોમાં મિત્રા એક છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે જે 1 જાન્યુઆરી 2021 થી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ જીત એવા સમયે મળી છે જ્યારે ભારત જાન્યુઆરી 2021 થી બે વર્ષ માટે યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પદ સંભાળવાની તૈયારી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના જબરદસ્ત સમર્થનથી યુનાઇટેડ નેશન્સ ACABQમાં મિત્રાની પસંદગી કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મિત્રા ACABQના કામકાજમાં સ્વતંત્ર, ઉદ્દેશ્યપૂર્ણ અને સંતુલિત પરિપ્રેક્ષ્‍ય લાવશે.

TikTok Deal: ટ્રમ્પે ચીન પાસેથી છીનવ્યું ‘ટિકટોક’, જાણો કેટલા માં થશે આ ડીલ અને હવે કોણ બનશે નવો માલિક
US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Donald Trump: ઓવલ ઓફિસમાં ટ્રમ્પે શહબાઝ અને મુનીરને બંધ રૂમમાં આટલા કલાક રાહ જોવડાવી, બંને વિશે કહી આવી વાત
Exit mobile version