Site icon

નીરવ મોદીને લાગ્યો મોટો ઝટકો.. બ્રિટિશ કોર્ટે ભારતના પુરાવા સ્વીકાર્યા.. પ્રત્યારપણની  સંભાવનાઓ વધી ગઈ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

ભારતથી ફરાર થઈ ઈંગ્લેન્ડમાં શરણ લેનાર હીરાના વેપારી નીરવ મોદીને વધુ એક આંચકો લાગ્યો છે.ભારતે નીરવ વિરુદ્ધ પુરાવા આપ્યાં જેને બ્રિટિશ કોર્ટે સ્વીકારીને ભારતના  પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે નીરવની ભારત પ્રત્યાર્પણની શક્યતાઓ વધી ગઈ છે. મંગળવારની સુનાવણી વેળા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટએ આ પુરાવા સ્વીકાર્યા હતાં. જે બાદ નીરવ મોદીને 1 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લેવાયા છે. બંને પક્ષો 7 અને 8 જાન્યુઆરીએ અંતિમ ચર્ચા કરશે અને થોડા અઠવાડિયા પછી 2021 માં આગળનો નિર્ણય લેવાવાની સંભાવના છે.

Join Our WhatsApp Community

નીરવ મોદીના વકીલ, ક્લેર મોન્ટગોમરી ક્યુસીએ આ કેસની સુનાવણી દરમિયાન ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી રવિ શંકરન સાથે તુલના કરીને ભારતની દલીલોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિ શંકરન હવે એક હથિયારનો વેપારી છે જે યુકેમાં છે અને તેનું પ્રત્યાર્પણ હજી બાકી છે. અન્ય એક કેસમાં પણ વકીલનો સખત વિરોધ હોવા છતાં, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ માર્ક ગુજીએ વિજય માલ્યાના કેસમાં પણ ભારતના પુરાવા માન્ય રાખ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે કલમ 161 હેઠળ ભારતની અદાલતમાં આપેલ નિવેદન યુકેની કોર્ટમાં માન્ય છે.

નોંધનીય છે કે નીરવ મોદી ભારતમાં આશરે 13,500 કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ધોખાધડી કરીને વિદેશ ભાગી ગયો હતો. 49 વર્ષીય નીરવે દક્ષિણ-પશ્ચિમ લંડનની વુન્ડસવર્થ જેલમાંથી વિડીયોલિંક મારફત કોર્ટ ની કાર્યવાહી જોઈ હતી, જ્યાં તે માર્ચ 2019 થી બંધ છે.

Donald Trump on Russian Oil: રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવશે અમેરિકા? ક્રૂડ ઓઈલના વધતા ભાવને રોકવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો સંકેત; વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સૌથી મોટો દાવો! “માત્ર પીએમ મોદી જ કરાવી શકે છે યુદ્ધવિરામ”, જાણો કેમ પૂર્વ રાજદૂતે ભારતને ગણાવ્યું શાંતિનું દૂત
Trump and Putin Hold 1-Hour Call Over Iran War: ઈરાન યુદ્ધ રોકવા રશિયાએ આપ્યો ‘શાંતિ પ્લાન’, શું પશ્ચિમ એશિયામાં આવશે શાંતિ?
Israel-Iran War Update: ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ઇરાનનો વળતો પ્રહાર, ૨૦ ગણા ભયાનક હુમલાની ધમકી વચ્ચે ઇરાને બતાવ્યા આકરા તેવર.
Exit mobile version