News Continuous Bureau | Mumbai
Iran attacks Israel : ઈરાન તરફથી ઈઝરાયેલ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષમાં ભારતની એન્ટ્રી થઇ છે. ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇરાજ ઇલાહીએ મધ્ય પૂર્વમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. તેમ જ ઈરાજ ઈલાહીએ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને આ સદીના ‘નવા હિટલર’ ગણાવ્યા છે અને ઈઝરાયેલને ધમકી આપી છે કે જો તે હટશે નહીં તો ઈરાન તેના પર ફરીથી હુમલો કરશે.
Iran attacks Israel : ઈઝરાયેલના પીએમને આ સદીના ‘નવા હિટલર’ ગણાવ્યા અને આપી આ ચેતવણી
મીડિયા હાઉસ સાથે વાત કરતા, ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ ઈરાનના હુમલાને ઈઝરાયેલ વિરુદ્ધ બદલો લેવાની કાર્યવાહી ગણાવી હતી. આ ઉપરાંત તેમણે ઈઝરાયલને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ ઈરાની સંપત્તિ અને તેના હિત પર હુમલો કરવાથી બચશે નહીં તો ઈરાન તેના પર વારંવાર હુમલો કરશે. આગળ ઈરાજ ઈલાહીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓને સમગ્ર વિશ્વના લોકો જોઈ રહ્યા છે. ઈઝરાયેલે તમામ માનવાધિકાર સંધિઓનું ઉલ્લંઘન કર્યું છે. ગાઝા અને દક્ષિણ લેબનોનમાં સતત રક્તપાત થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ગુસ્સામાં છે. તેમણે વધુમાં ઈઝરાયેલના પીએમને આ સદીના ‘નવા હિટલર’ ગણાવ્યા. ઈઝરાયેલ પરના મિસાઈલ હુમલાને જવાબી કાર્યવાહી ગણાવતા તેમણે કહ્યું કે ઈરાન તેના આંતરરાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રીય સુરક્ષાની મજાક નથી કરતું.
Iran attacks Israel :’ભારતના બંને પક્ષો સાથે ગાઢ સંબંધો છે’
તો બીજી તરફ ઇરાજ ઇલાહીએ મધ્ય પૂર્વમાં ભારતની ભૂમિકાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. તેની પાછળનું કારણ જણાવતા ઈલાહીએ કહ્યું કે ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ભારતના ગાઢ સંબંધો છે. ઈરાજ ઈલાહીએ આશા વ્યક્ત કરી છે કે ભારત ઈઝરાયેલને સમજાવવામાં અને રોકવામાં મદદ કરશે. પીએમ મોદીના તાજેતરના નિવેદન ‘આ યુદ્ધનો યુગ નથી’ ને પુનરોચ્ચાર કરતા ઈરાની રાજદૂતે કહ્યું કે અમે ઈરાનમાં પણ આમાં વિશ્વાસ કરીએ છીએ, પરંતુ જો એક દેશ બીજાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે, તો તે દેશ અને તે શું કરી શકે?’
આ સમાચાર પણ વાંચો : Iran-Israel War : ઈરાને ઈઝરાયેલ પર ધડાધડ છોડી મિસાઈલો, ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ; ભારતનું વધ્યું ટેન્શન…
Iran attacks Israel ઈરાને આની કિંમત ચૂકવવી પડશે
ઈરાન તરફથી ઈઝરાયેલ તરફ લગભગ 200 મિસાઈલો છોડવામાં આવી હતી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે. આયર્ન ડોમ સહિત અન્ય ઇઝરાયેલી સંરક્ષણ પ્રણાલીઓએ 180 થી વધુ મિસાઇલોનો નાશ કર્યો. માત્ર થોડી મિસાઇલો સફળ રહી હતી. પીએમ નેતન્યાહુએ આ હુમલાને ઈરાનની મોટી ભૂલ ગણાવી છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.